corona vaccine: કોવિડ -19નાં સંક્રમણથી  સ્વસ્થ થયેલા દર્દીઓ માટે રસીની એક માત્રા  ડોઝ પૂરતો  છે. હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ ઇન્ફેક્શિયસ ડીજીજ જર્નલમાં સંશોધનનાં પરિણામો પ્રકાશિત થયા છે.


હૈદરાબાદની એઆઈજી હોસ્પિટલનો એવો  દાવો છે કે, કોવિડ -19 રસીની 'એક માત્રા' ડોઝ  કોરોનાથી રિકવર થયેલા લોકો માટે પૂરતી છે, કારણ કે તેમાં કોવિડ બાદ મજબૂત એન્ટીબોડી બની હોય છે.  એઆઈજી હોસ્પિટલે 260 હેલ્થકેર કામદારો પર સંશોધન કર્યાં.  હેલ્થકેર કર્મચારીઓને 16 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી, 2021 દરમિયાન કોવિડશીલ્ડ સામે રસી આપવામાં આવી હતી. સંશોધન દર્શાવે છે કે જે લોકો કોવિડ -19 માં સાજા થયા હતા તેઓને રસીની એક માત્રાથી એન્ટિબોડી પ્રતિસાદ મળ્યો હતો જેમને પહેલાં ચેપ લાગ્યો ન હતો. સંશોધનનો હેતુ બધા દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવનું નિરીક્ષણ કરવાનો હતો.


ઇન્ટરનેશન જર્નલ ઓફ ઇંફેક્શિયસ ડિજીજ પત્રિકામાં પ્રકાશિત રિસર્ચ મુજબ વેક્સિનના એક ડોઝથી પ્રાપ્ત મેમોરી ટી સેલ રિસ્પોન્સ પહેલાથી સંક્રમિત ગ્રૂપમાં એ લોકોની તુલનામાં સ્પષ્ટ રીતે વધુ હતી. જેઓ પહેલા સંક્રમિત હતા.આ રિસર્ચના પ્રભાવ પર ટિપ્પણી કરતા એઆઇજી હોસ્પિટસના ચેરમેન નાગેશ્વર રેડ્ડીએ કહ્યું  કે, પરિણામ બતાવે છે કે, જે લોકો પહેલા કોવિડ19થી સંક્રમિત થઇ ચૂક્યાં હતા તેમને બે ડોઝ લેવાની જરૂરી નથી. 



સંક્રમણથી મજબૂત  એન્ટીબોડી  રિસ્પોન્સ  મળવાનો થયો દાવો 


સંક્રમણના કારણે મજબૂત એન્ટીબોડી બનતી હોવાથી આવા સંક્રમણથી રિકવર થઇ ચૂકેલા લોકો માટે  કોવિડની એક વેક્સિનનો ડોઝ લેવો પુરતો છે. આવુ કરવાથી એક ડોઝ બચશે અને આ ડોઝ અન્ય લોકોને આપી શકાશે આ આ રીતે વધુમાં વધુ લોકો વેક્સિનેટ થઇ જશે. હર્ડ ઇમ્યુનિટી મેળવવા માટે એક વખત અપેક્ષિત સંખ્યામાં લોકોને વેક્સિનેટ કરવા જરૂરી છે. જો કોરોનાથી રિકવર થઇ ચૂકેલા લોકોને એક ડોઝ આપવાં આવે તો વધુ લોકોને કવર કરીને વે્ક્સિનેશનની ગતિ વધારી શકાય છે.