આ ઉપરાંત એજ્યૂકેશનના કેટલાક બુક સ્ટૉર અને પંખાની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ બધી છૂટછાટ આથી લાગુ થઇ ગઇ છે.
DDMAના આદેશ પ્રમાણે આ લોકોને મળી છૂટછાટ
- પશુ ચિકિત્સકો, ડિસ્પેન્સરી, ક્લિનીક, પેથોલૉજી લેબ, દવાઓ અને વેક્સિનના વેચાણ અને સપ્લાય
- મેડિકલ અને વેટનરી સ્ટાફ, વૈજ્ઞાનિક, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ, લેબ ટેકનિશિયન, ડાઇ, હૉસ્પીટલ સપોર્ટ સર્વિસ, એમ્બ્યૂલન્સ -આ બધાને અંતર રાજ્યયાત્રાની અનુમતી આપવામાં આવી છે
- બાળકો, ડિસેબલ્ડ, વરિષ્ઠ નાગરિકો, બેઘરો, મહિલાઓ, વિધવાઓ માટે ચલાવવામાં આવતા આશ્રમ
- ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને વૉટર પ્યૂરિફાયર મિકેનિક
- એજ્યૂકેશન બુક સ્ટૉર
- ઇલેક્ટ્રિક પંખાની દુકાનો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના આદેશમાં આ બધી વસ્તુઓની છૂટ આપી હતી. હવે દિલ્હી સરકારે પણ આને લાગુ કરી દીધી છે. આ પહેલા 19 એપ્રિલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉનમાં કોઇપણ ના આપવાની વાત કહી હતી. હવે કેટલીક વસ્તુઓને છૂટછાટ આપવામાં આવી છે.