Supreme Court Homebuyer Verdict: સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ અને રાહત આપનારો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ બિલ્ડરની બેદરકારીને કારણે ફ્લેટ મળવામાં વિલંબ થાય છે તો ખરીદનાર વ્યક્તિને ઘરનું પજેશન મળ્યા બાદ પણ વિલંબ માટે વળતર મેળવવાનો હકદાર રહે છે. ફક્ત ફ્લેટની ચાવીઓ મળી જવાથી બિલ્ડરની વિલંબ વિરુદ્ધ ખરીદનારનો આ હક સમાપ્ત થઈ જતો નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે ઘર ખરીદનારનો દાવો ફ્લેટની માલિકી મેળવવા પૂરતો મર્યાદિત નથી. જો વિલંબથી નાણાકીય નુકસાન કે અસુવિધા થઈ હોય તો તમે તેના માટે વળતર માંગી શકે છે.
શું આ અધિકાર પજેશન મળ્યા પછી પણ રહે છે?
આ કેસ એક ફ્લેટ ખરીદનાર વ્યક્તિની ફરિયાદ સાથે જોડાયેલો છે. જેણે ફ્લેટ મળવામાં વિલંબ માટે બિલ્ડર સામે ફરિયાદ દાખલ કરી હતી. આ કિસ્સામાં ખરીદનારએ વિલંબને કારણે થયેલા નુકસાન માટે વળતર માંગ્યું હતું. જોકે, બિલ્ડરે કરારમાં મધ્યસ્થી કલમનો ઉલ્લેખ કરીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જિલ્લા ફોરમ અને રાજ્ય કમિશન પછી મામલો NCDRC સુધી પહોંચ્યો, જ્યાં ખરીદનારની અરજી ફગાવી દેવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેણે ફરિયાદ પહેલા જ ફ્લેટનો કબજો લઈ લીધો હતો.
કોર્ટે આ દલીલને ફગાવી દીધી અને કહ્યું કે ખરીદનારની ફરિયાદનો હેતુ ફ્લેટનું પજેશન મેળવવાનો નહોતો પરંતુ વિલંબને કારણે થયેલા નુકસાન માટે વળતર મેળવવાનો હતો. તેથી પજેશન મળ્યા પછી પણ વળતરનો દાવો કરી શકાય છે.
ખરીદનારે શું કરવું જોઈએ?
પુરાવા એકત્રિત કરો: પજેશનની નક્કી તારીખ ધરાવતા એગ્રીમેન્ટની કોપી સુરક્ષિત કરો
ફરિયાદ દાખલ કરો: તમે રાજ્ય (RERA) સત્તાવાળા અથવા ગ્રાહક કોર્ટમાં તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
વકીલની સલાહ લો: કરારમાં મધ્યસ્થી કલમ હોવા છતાં ગ્રાહક ગ્રાહક કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર જાળવી રાખે છે.
