ભારતે પ્રથમ કાર્યવાહીમાં બુધવારે રાત્રે આતંકવાદીના ઠેકાણા પર સર્જિકલ હુમલા કર્યા હતા, આ સાથે સેનાએ પાકિસ્તાન અધિકૃત ક્શમીરમાં ભારતમાં ધુસપેઠની કાર્યવાહી કરી રહેલા આતંકવાદીઓને ભારે નુકશાન પહોંચાડ્યું હતું.
થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ ચેતાવણી આપી હતી કે ઉરી હુમલાના જવાબદારો પર કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય સેનાના વિશેષ દળોએ 28 અને 29 સપ્ટેમ્બરના રાત્રીના લગભગ પાંચ કલાક ચાલેલા અભિયાનમાં નિયંત્રણ રેખાની પાર આતંકીઓને ઠેકાણાને નાબૂદ કરી દિધા હતા. આ દરમિયાન હેલીકૉપ્ટર સવાર અને જમીની દળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.