મસૂદે હમાસનો બચાવ કરતા કહ્યું, "તમારા માટે, હમાસ એક આતંકવાદી સંગઠન છે. મારું માનવું છે કે, હમાસ તેની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. તમે તેમના 250 બંધકોને જોઈ રહ્યા છો, પરંતુ તમે ઇઝરાયલે માર્યા ગયેલા 100,000 લોકોને જોઈ રહ્યા નથી."

Continues below advertisement

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે પોડકાસ્ટ ચર્ચા દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહની સરખામણી આતંકવાદી જૂથ હમાસ સાથે કરીને એક નવો રાજકીય વિવાદ ઉભો કર્યો છે. મસૂદ પર આતંકવાદીઓને મહિમા આપવા અને ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કરવાનો આરોપ છે.

7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા પર મસૂદ ચર્ચામાં ભાગ લઈ રહ્યો હતો ત્યારે વિવાદ શરૂ થયો હતો. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે, હમાસ એક આતંકવાદી સંગઠન છે, ત્યારે મસૂદ ઉશ્કેરાઈ ગયો અને પૂછ્યું, "શું ભગતસિંહ પણ આતંકવાદી હતા?"

Continues below advertisement

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભગતસિંહ અને હમાસ વચ્ચે કોઈ સરખામણી છે, ત્યારે મસૂદે હામાં જવાબ આપ્યો, "હમાસ તેમની ભૂમિ માટે લડી રહ્યા છે. ભગતસિંહ પણ તેમની ભૂમિ માટે લડી રહ્યા હતા." તેમણે વધુમાં ઉમેર્યું, "ભગતસિંહે તેમની ભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. ઇઝરાયલ કબજે કરવાનું  છે."

મસૂદે હમાસનો બચાવ કરતા કહ્યું, "તમારા માટે, હમાસ એક આતંકવાદી સંગઠન છે. મારું માનવું છે કે હમાસ તેની સ્વતંત્રતા માટે લડી રહ્યું છે. તમે તેમના 250 બંધકોને જોઈ રહ્યા છો, પરંતુ તમે ઇઝરાયલે માર્યા ગયેલા 100,000 લોકોને જોઈ રહ્યા નથી."

બીજેપીની તીખી પ્રતિક્રિયા  

ભારતીય જનતા પાર્ટીએ ઇમરાન મસૂદના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર હુમલો કરતા કહ્યું કે, "બોટી બોટી'ના ઇમરાન મસૂદ હમાસની તુલના ભગતસિંહ સાથે કરી રહ્યા છે. આ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે."

પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે "ડાબેરીઓ અને કોંગ્રેસ આતંકવાદી જૂથોનું ગૌરવ વધારે છે અને ગાંધી પરિવારને મહાન બતાવવા માટે આપણા બધા નાયકોને નીચા પાડે છે." તેમણે યાદ કર્યું કે કન્હૈયા કુમારે અગાઉ ભગતસિંહની તુલના લાલુ યાદવ સાથે કરી હતી. પૂનાવાલાએ કહ્યું કે, કોંગ્રેસે અગાઉ ચંદ્રશેખર આઝાદ, સાવરકર, પટેલ અને બિરસા મુંડાનું અપમાન કર્યું છે.

શું હતો 7 ઓક્ટોબરનો મામલો?

ઉલ્લેખનિય છે કે, 7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે ઇઝરાયલ પર અભૂતપૂર્વ હુમલો કર્યો, જે ઇઝરાયલના ઇતિહાસનો સૌથી ઘાતક દિવસ બન્યો અને ગાઝામાં વિનાશક યુદ્ધ શરૂ થયું. હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલી સરહદોનો ભંગ કર્યો, 1,2૦૦ થી વધુ લોકોની હત્યા કરી અને 250 લોકોને બંધક બનાવ્યા.

જવાબમાં, ઇઝરાયલે ગાઝામાં હમાસ સામે એક વિશાળ લશ્કરી કાર્યવાહી શરૂ કરી, જેમાં 67,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા અને ગંભીર માનવતાવાદી કટોકટી ઉભી થઈ જેણે વૈશ્વિક રાજકારણ પર ઊંડી અસર કરી. ઇઝરાયલી સહાય નાકાબંધીએ હજારો પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત કર્યા છે, અને વૈશ્વિક એજન્સીઓએ પેલેસ્ટિનિયન એન્ક્લેવમાં દુષ્કાળની  ચેતવણી આપી છે.