US High Tariffs Impact On India: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વધારાની 50 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે, જે 27 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવશે. આ નિર્ણય ભારતની 86 અબજ ડોલરની નિકાસમાંથી 60 અબજ ડોલરથી વધુની નિકાસને અસર કરશે. તેની સૌથી મોટી અસર શ્રમ-સઘન ક્ષેત્રો જેમ કે ઝીંગા, વસ્ત્રો, ચામડું અને રત્નો અને ઝવેરાત પર પડશે.
તેની સીધી અસર વસ્ત્રોના ક્ષેત્રને પડશે, કારણ કે તે 10. અબજ ડોલરની નિકાસ કરે છે. આ રત્નો અને ઝવેરાત ક્ષેત્ર માટે પણ મોટો ફટકો માનવામાં છે, કારણ કે અમેરિકા આ ઉદ્યોગ માટે સૌથી મોટું બજાર છે. ઘણા નિકાસકારો માને છે કે આ ક્ષેત્રોમાં નોકરીઓમાં કાપ મૂકવાનું નિશ્ચિત છે. કાપડ અને વસ્ત્ર ઉદ્યોગ પર પણ દબાણ રહેશે. ભારતમાંથી અમેરિકામાં ઘણા બધા કપડાં, તૈયાર વસ્ત્રો અને ફેશન ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.
ટ્રમ્પના હાઈ ટેરિફથી ઘણા ક્ષેત્રો પ્રભાવિત થયા છે
ઝીંગા અને સીફૂડ નિકાસ પર પણ ગંભીર અસર પડશે. ચામડા અને ફૂટવેર ઉદ્યોગને ઉત્પાદન બંધ કરવું પડી શકે છે અને કર્મચારીઓની સંખ્યા ઘટાડવી પડી શકે છે. કાર્પેટ અને ફર્નિચર જેવા ક્ષેત્રોમાં પણ સ્પર્ધા નબળી પડશે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) રિપોર્ટ મુજબ, ભારતની અમેરિકામાં થતી લગભગ 66 ટકા નિકાસ યુએસ ટેરિફથી પ્રભાવિત થશે. 27 ઓગસ્ટથી, કાપડ, રત્નો અને ઝીંગા સહિત 60.2 અબજ ડોલરના ઉત્પાદનો પર 50 ટકા ડ્યુટી લાદવામાં આવશે.
યુએસ ટેરિફ વધવાથી શું અસર થશે ?
ઇન્સ્ટિટ્યૂટના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારત માટે આ સૌથી મોટો વેપાર આંચકો છે. તેમના મતે, 2025-26ના નાણાકીય વર્ષ દરમિયાન ભારતની અમેરિકામાં નિકાસ ઘટીને લગભગ 49.6 અબજ ડોલર થઈ શકે છે. આ નિર્ણયથી ચીન, વિયેતનામ, મેક્સિકો, તુર્કી અને પાકિસ્તાન, નેપાળ અને કેન્યા જેવા હરીફ દેશોને પણ ફાયદો થશે.
એ નોંધનીય છે કે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. જ્યારે 25 ટકા ટેરિફ પહેલાથી જ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, બુધવારથી કુલ ટેરિફ દર વધીને 50 ટકા થઈ જશે. તાજેતરના વર્ષોમાં નવી દિલ્હી પર આ પ્રકારનો આર્થિક રીતે સૌથી મોટો પ્રતિબંધ છે.