complete lockdown in Kerala: કેરળમાં કોરોના મહામારીની ભયાનક સ્થિતિની વચ્ચે રાજ્ય સરાકરે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનનો ગાળો 23 મે સુધી વધારી દીધો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, રાજ્યમાં પોઝિટિવિટી રેટ હજુ પણ ઘણો વધારે છે, માટે રાજ્ય સરાકરે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.


મુખ્યમંત્રી પિનારઈ વિજનયે કહ્યું કે, તિરૂવનનંતપુરમ, એર્નાકુલમ, ત્રિશૂર અને મલાપ્પુરમમાં ટ્રિપલ લોકડાઉન લગાવાવમાં આવશે. આ શહેરોમાં પોઝિટિવિટી રેટ ઘણો વધારે છે.


શું હોય છે ટ્રિપલ લોકડાઉન (Triple Lockdown), આ સામાન્ય લોકડાઉનથી કેવી રીતે અલગ છે


ટ્રિપલ લોકાડઉનમાં ત્રણ સ્તર પર લોકોને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે અને તેનું કડક નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. પોલીસકર્મી મોટરસાઈકલથી રાઉન્ડ લગાવે છે, ડ્રોન દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવે છે. તેની સાથે જ પોલીસ લોકોની મંજૂરીથી મોબાઈલ એપનો પણ ઉપયોગ કરે છે, જેના દ્વારા લોકોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે અને GPSની મદદથી તેમના લોકેશન જોઈ શકાય છે.


લોક- 1


લોક-1 માં લોકોની અવરજવર પંધ કરવામાં આવે છે અને તેમને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવે છે, જોકે, આ દરમિયાન રાશન, શાકભાજી અને દવાના દુકાનદારોને અવરજવરની છૂટ રહે છે. જરૂરી સામાન માટે લોકો હેલ્પલાઈન નંબર પર ફોન કરીને સામાન મગાવી શકે છે. જે લોકો બહાર નીકળે છે તેમની પાસે સત્તાવાર દસ્તાવેજ હોવા જોઈએ, જેમાં સ્પષ્ટ લખ્યું હોય છે કે તેમના માટે બહાર નીકળવું શા માટે જરૂરી છે. આ ડોક્યુમેન્ટ બાદ જ પોલીસ તેને બહાર જવાની મંજૂરી આપે છે. જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરે છે તેમની વિરૂદ્ધ આપરાધિક ગુનો નોંધવામાં આવે છે અને દંડ પણ લગાવવામાં આવે છે.


લોક- 2


લોક 2 તમામ જગ્યાએ લગાવવામાં નથી આવતું. જે વિસ્તારમાં કોરોનાના કેસ વધારે હોય છે. માત્ર ત્યાં જ લોક-2 લગાવવામાં આવે છે. જે પણ આ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરે તેની વિરૂદ્ધ કાર્રવાઈની ચેતવણી આપવામાં આવે છે.


લોક- 3


લોક 3 અંતર્ગત કોરોના દર્દીના ઘર પર સતત નજર રાખામાં આવે છે. પોલીસ અધિકારી એ સુનિશ્ચિત કરે છે કે કોરોના પોઝિટિવ લોક અને તેના પરિવારના કોઈપણ સભ્ય ઘરની બહાર ન નીકળે કારણ કે આ લોકો સરળતાથી કોરોના ફેલાવી શકે છે.


ટ્રિપલ લોકડાઉનનો પ્રયોગ સૌથી પહેલા કસરાગોદ જિલ્લામાં વર્ષ 2020માં કરવામાં આવ્યો હતો. તેના કારણે ત્યાં ત્રણ સપ્તાહમાં જ કોરોનાના કેસ 94 ટકા સુધી ઘટી ગયા હતા.