UFO In Manipur: પૃથ્વી પર એલિયન્સને લઇને અનેક પ્રકારની થિયરીઓ ચાલી રહી છે, આમાંની એક થિયરી એલિયન્સ યૂએફઓની પણ છે. હવે એલિયન્સની આ તમામ થિયરીઓની વચ્ચે ભારતમાં કંઈક એવું બન્યું કે જેણે ફરી એકવાર ચર્ચાને જોર પકડ્યું. આવી વસ્તુ ભારતના મણિપુરમાં જોવા મળી, જેના કારણે તમામ ફ્લાઈટ્સની અવરજવર પર અસર પડી. આ વસ્તુ લાંબા સમય સુધી હવામાં ઉડતી જોવા મળી ત્યારબાદ ભારતીય વાયુસેના એક્શનમાં આવી અને ફાઈટર જેટ રાફેલને ટેક ઓફ કરવું પડ્યું. હવામાં ઉડતી આ વસ્તુને આપણે UFO તરીકે જાણીએ છીએ. આજે અમે તમને આ UFO વિશે માહિતી આપી રહ્યા છીએ, તે શું છે અને તેના વિશે શું સિદ્ધાંતો છે.

Continues below advertisement


મણિપુરમાં શું દેખાયુ ?
સૌથી પહેલા જાણીએ કે મણિપુરમાં શું થયું... જ્યારે આખો દેશ વર્લ્ડકપ જોઈ રહ્યો હતો ત્યારે ઈમ્ફાલમાં એરપોર્ટ પાસે એક UFO જોવા મળ્યુ, તે સફેદ રંગની વસ્તુ હતી, જેને કેટલાય લોકોએ પોતાના કેમેરામાં પણ કેદ કરી લીધી હતી. આ ઘટના બાદ ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. વાયુસેનાને જાણ કરવામાં આવી હતી અને આ પછી તેને મારવા માટે બે રાફેલ જેટ હવામાં મોકલવામાં આવ્યા હતા, જોકે ત્યાં સુધીમાં આ પદાર્થ ગાયબ થઈ ગયો હતો. આ વસ્તુ શું હતી તે હજુ સુધી જાણવા મળ્યું નથી...


આ ઘટના પછી લોકોએ ટ્વીટર પર એલિયન્સની થિયરી ફેલાવી. લોકોએ કહ્યું કે અમેરિકા છોડીને હવે એલિયન્સ ભારત પહોંચી ગયા છે. જોકે, કેટલાક લોકો એવું પણ કહે છે કે ચીનની સરહદે આવેલા મણિપુરમાં જોવા મળેલી આ વસ્તુ જાસૂસીની કોઈ પદ્ધતિ હોઈ શકે છે.


શું હોય છે યૂએફઓ ?
હવે ચાલો જાણીએ કે આ યૂએફઓ શું છે અને તે એલિયન્સ સાથે શા માટે જોડાયેલું છે. UFO નો અર્થ છે અજાણી વસ્તુ, એટલે કે જે ઓળખી શકાતી નથી. સામાન્ય રીતે આ ખ્યાલો અમેરિકા જેવા દેશોમાં ખૂબ ચર્ચામાં છે. એવી કેટલીય થિયરીઓ છે જેમાં એવું કહેવાય છે કે અન્ય ગ્રહો પરથી આવતા લોકો આ UFOમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જો કે, આ સિદ્ધાંત આજ સુધી સાચો સાબિત થયો નથી અને ન તો કોઈ નક્કર પુરાવા મળ્યા છે.