ઉત્તર પ્રદેશમાં બમ્પર જીત બાદ દિલ્હી પ્રવાસે આવેલા યોગી આદિત્યનાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર 20-21 માર્ચે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના આગામી સીએમ તરીકે શપથ લઈ શકે છે. યોગીની નવી કેબિનેટમાં લગભગ 57 મંત્રીઓ શપથ લઈ શકે છે, એવી અપેક્ષા છે કે 22-24 કેબિનેટ મંત્રીઓ હશે. આ સિવાય  7-9 મંત્રીઓ પાસે સ્વતંત્ર હવાલો હોઈ શકે છે.


યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. યુપીમાં મોટી જીત બાદ પીએમ મોદી અને યોગી આદિત્યનાથની આ પ્રથમ મુલાકાત હતી. પીએમ મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે લગભગ અઢી કલાક સુધી મુલાકાત ચાલી હતી. ઉત્તર પ્રદેશની નવી કેબિનેટને લઈને પણ ચર્ચા થઈ હોવાની અપેક્ષા છે.



બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે આજે યોગી આદિત્યનાથજી સાથે મુલાકાત થઈ.  ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ તેમને અભિનંદન આપ્યા. છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી છે. મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ ઉંચાઈઓ પર લઈ જશે.


સૂત્રોના જણાવ્યા અનુસાર 20-21 માર્ચે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. યોગીની નવી કેબિનેટ માટે લગભગ 57 મંત્રીઓ શપથ લઈ શકે છે, એવું અનુમાન છે કે, 22-24 કેબિનેટ મંત્રીઓ હશે.



આ પહેલાં યોગીએ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ અને ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સાથે પણ મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય રાજધાનીમાં બે દિવસ રોકાય તેવી શક્યતા છે. યુપી વિધાનસભાની 403 બેઠકો પર થયેલી ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે અને તેમના બે સહયોગી પક્ષોએ 18 બેઠકો જીતી છે. 


ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બમ્પર જીત મળી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે 255 બેઠકો પર જીત મેળવી છે જ્યારે સહયોગીઓએ 18 બેઠકો જીતી છે.