લૉકડાઉનમાં પોલીસકર્મીઓ પર હુમલો ના થાય તે માટે યોગી સરકારે રાજ્યમાં એક આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર રાજ્યમાં ક્યાંય પણ પોલીસકર્મીઓ પર હુમલો થશે, તો હુમલો કરનારાઓ વિરુદ્ધ NSA એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરવામાં આવશે, NSA કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ વાત છે કે ગઇકાલે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કેટલાક બદમાશો દ્વારા ડૉક્ટરની ટીમ અને પોલીસકર્મીઓ પર પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ટીમ કોરોના શંકાસ્પદોના સેમ્પલ લેવા ગઇ હતી.
આ હુમલા બાદ મધ્યપ્રદેશની સરકારે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરતા બધા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, બધાની ઉપર રાસુકા (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાવવામાં આવ્યો છે.