Uttarakhand Bus Accident: ઉત્તરખંડમાં આજે સવારે મોટી દૂર્ઘટના ઘટી છે. તે દેહરાદૂન (Dehradun)ના વિકાસનગરની પાસે બુલ્હાડ બાયલા રોડ પર એક બસ ખીણમાં ખાબકી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 11 લોકોના મોત થઇ ગયા છે. વળી, કેટલાય લોકો હજુ ગંભીર સ્થિતિમાં છે, જેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. બસમાં સવાર તમામ ગ્રામીણો એક જ બસમાં જઇ રહ્યાં છે. ચકરાતાના એસડીએમે બતાવ્યુ કે દૂર્ઘટના બાદ પોલીસ અને SDRFની ટીમો રવાના થઇ ગઇ છે. હાલમા રેસ્ક્યૂનુ કામ આસપાસના ગામલોકો કરી રહ્યાં છે.  

ઓવરલૉડિંગના કારણે દૂર્ઘટના- પોલીસપોલીસ અધિકારીએ જાણકારી આપી છે કે દૂર્ઘટનાની પાછળ ઓવરલૉડિંગ એક કારણ હોઇ શકે છે. બસ નાની હતી, જેમાં 25 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે જે રૂટ પરથી આ બસ નીકળી રહી હતી, ત્યાં વધુ બસ નથી. એટલા માટે આટલી મોટી સંખ્યામાં લોકો એકજ બસમાં સવાર થયા હતા.