Mask Up: દેશમાં બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં કોરોનાના વધતા કેસને લઈ જમ્મુ-કાશ્મીર જિલ્લામાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.


જમ્મુ અને કાશ્મીરમાં કોવિડ સંક્રમણના વધતા પ્રસારથી રાજ્યના વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે. મંગળવારે, રાજ્યમાં જબરદસ્ત ઉછાળો સાથે ત્રણ મહિના પછી 333 સંક્રમિત કેસ મળી આવ્યા હતા. કોરોનાના મોટાભાગના કેસો સ્થાનિક સ્તરના છે, એટલે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. જમ્મુ જિલ્લો મહત્તમ 640 સક્રિય કેસ સાથે કોવિડ પ્રતિબંધો તરફ આગળ વધી રહ્યો છે. જમ્મુની સાથે રાજધાની શ્રીનગરમાં સતત સંક્રમણના કેસોને કારણે કોવિડ યોગ્ય વર્તનને કડક રીતે લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના પાંચ જિલ્લા કિશ્તવાડ, રામબન, બાંદીપોરા, ગાંદરબલ અને શ્રીનગરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. જમ્મુ ડિવિઝનમાં એક સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું છે.




કોવિડ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સમુદાય સ્તરે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત છે, પરંતુ કોવિડ રસીકરણને કારણે, ચેપની અસર ઓછી છે, મોટાભાગના પીડિતો થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જાય છે. સરકારે 18 વર્ષથી ઉપરની વય જૂથમાં નિવારક કોવિડ રસીની મફત માત્રા પણ શરૂ કરી છે.


તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત


કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે, ડેપ્યુટી કમિશનરે મંગળવારે તમામ સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે ઉપરાંત ચેનાની નાશરી અને બનિહાલ વાંજીકુંડ ટનલના એન્ટ્રી પોઈન્ટ પર ઝડપી એન્ટિજેન ટેસ્ટ કરાવવો પડશે. જો લોકો આમ નહીં કરે તો તેમને જિલ્લાભરની સરકારી કચેરીઓ, આરોગ્ય સંસ્થાઓ, બેંકો, નાણાકીય સંસ્થાઓ વગેરેમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત જિલ્લાની તમામ શૈક્ષણિક અને ટેકનિકલ સંસ્થાઓના વડાઓને પણ માસ્ક પહેરવાનું સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 20,557 નવા કેસ નોંધાયા છે, જેનાથી કુલ કેસોની સંખ્યા 43,803,619 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની કુલ સંખ્યા 145, 654 છે. છેલ્લા 24 કલાકમાં 18,517 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 43,132,140 લોકો કોરોનાથી સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.13% છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ  4.64% છે. રિકવરી રેટ 98.47% છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 40 લોકોના મોત થયા છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને 525,825 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 26,04,797 લોકોને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 2,00,61,24,684 રસીકરણ કરવામાં આવ્યું છે.


જુલાઈ મહિનામાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા



  • 19 જુલાઈએ 15,528 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયાહતા.

  • 18  જુલાઈએ 16,935 નવા કેસ નોંધાયા અને 51 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.

  • 17 જુલાઈએ 20,044 નવા કેસ નોંધાયા અને 49 સંક્રમિતોના મોત થયા.

  • 16 જુલાઈએ 20,514 નવા કેસ નોંધાયા અને 56 સંક્રમિતોના મોત થયા હતા.

  • 15 જુલાઈએ 20,038 નવા કોવિડ કેસ અને 47 સંક્રમિતોના મોત થયા.

  • 14 જુલાઈએ 20,139 નવા કોવિડ કેસ અને 38 સંક્રમિતોના મોત થયા.

  • 13 જુલાઈએ 16,906 નવા કેસ અને 45 સંક્રમિતોના મોત થયા હતા

  • 12 જુલાઈએ 13,615 નવા કેસ અને 20 સંક્રમિતોના મોત થયા હતા.

  • 11 જુલાઈએ 16,678 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા.

  • 10 જુલાઈએ 257 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોના મોત થયા હતા.

  • 9 જુલાઈએ 18,840 લોકો સંક્રમિત થયા અને 43 લોકોના નિધન થયા.

  • 8 જુલાઈએ 18, 815 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોના મોત થયા હતા.

  • 7 જુલાઈએ 18,930 નવા કેસ અને 35 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • 6 જુલાઈએ 16,159 નવા કેસ અને 24 સંક્રમિતોના મોત થયા હતા.

  • 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.

  • 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.

  • 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.

  • 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.

  • 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.