Who is Krishna Mohan Ayodhya: અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વહીવટમાં મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં મળેલી ટ્રસ્ટની હાઇ-પ્રોફાઇલ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમની જગ્યાએ હવે ટ્રસ્ટનું વહીવટી સંચાલન પૂર્વ IFS અધિકારી અને વર્તમાન સભ્ય કૃષ્ણ મોહનને સોંપવામાં આવ્યું છે. ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ સત્તાવાર જાહેરાત કરી છે કે જ્યાં સુધી કાયમી મહાસચિવની નિમણૂક ન થાય, ત્યાં સુધી કૃષ્ણ મોહન 'વચગાળાના મહાસચિવ' તરીકેની તમામ જવાબદારીઓ નિભાવશે.

Continues below advertisement

કોણ છે કૃષ્ણ મોહન?

73 વર્ષીય કૃષ્ણ મોહન એક નિવૃત્ત ભારતીય વન સેવા (IFS) અધિકારી છે. મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈના વતની અને દલિત સમુદાયમાંથી આવતા કૃષ્ણ મોહન, હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પૂર્વી યુપી ક્ષેત્રના સંઘચાલક પણ છે. વર્ષ 2025 માં તેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. આ નવી જવાબદારી સંભાળતા જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ સમાજમાં ઉભી થયેલી અવિશ્વાસની ભાવનાને દૂર કરીને ફરીથી રામ ભક્તોનો અતૂટ વિશ્વાસ પ્રસ્થાપિત કરશે.

Continues below advertisement

લગભગ 3 કલાક ચાલેલી બેઠકના મુખ્ય નિર્ણયો:

લગભગ 3 કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠક બાદ, ખજાનચી ગોવિંદ દેવ ગિરીએ મીડિયાને વિગતવાર માહિતી આપી હતી. બેઠકમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસ પણ હાજર હતા (જોકે ગોપાલ રાવને આમંત્રણ નહોતું અને ચંપત રાય પણ ગેરહાજર હતા).

આ પણ વાંચોઃ અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

ગોવિંદ દેવે જણાવ્યું કે કાયમી મહાસચિવની નિમણૂક માટે 3 સભ્યોની એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં નીચેના સભ્યોનો સમાવેશ કરાયો છે:

નિવૃત્ત જજ પ્રદીપ કોહલી

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી

સુરેશ જી. હાવરે (જેમણે 10 વર્ષ સુધી શિરડી સંસ્થાનનું સફળ સંચાલન કર્યું હતું)

આ સમિતિ વિવિધ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લઈને ટ્રસ્ટને નામો સૂચવશે, જેના આધારે અંતિમ પસંદગી કરવામાં આવશે. ટ્રસ્ટની આગામી બેઠક હવે 22 જુલાઈએ મળશે.

દાનની વસ્તુઓ ગુમ થવાનો અને તપાસનો મુદ્દો:

મંદિરમાં દાનમાં આવેલી કિંમતી વસ્તુઓ ગાયબ થવાના ગંભીર આક્ષેપો અંગે પણ ગોવિંદ દેવ ગિરીએ ખુલીને વાત કરી હતી. તેમણે મંદિરમાં સર્જાયેલા હાલના વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ કહ્યું કે, "ચોરી એ ચોરી છે, અને SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) હાલમાં તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે."

ટ્રસ્ટે મીડિયા સમક્ષ રજિસ્ટર રજૂ કરતા ખાતરી આપી છે કે 2800 દાનની વસ્તુઓનો રેકોર્ડ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેઓ તમામ વસ્તુઓનો વિગતવાર હિસાબ રજૂ કરશે. સાથે જ તેમણે વહીવટીતંત્રને અપીલ કરી છે કે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય ગુનેગારો અને તેમને છુપાવવામાં મદદ કરનાર તમામ સાથીદારોને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે.

આ પણ વાંચોઃ રામનગરી ૨૬ લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠી, અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા, જુઓ ફોટા