નવીનના પિતા કર્ણાટકમાં ખેડૂત છે. યૂક્રેન પર હુમલાના સમાચાર બાદથી નવીનનો પરિવાર ચિંતીત હતો. રવિવારે ખવારકીવમાં રશિયા સૈનિકોના કબ્જાના સમાચાર બાદ પરિવારની ચિંતા વધી ગઇ હતી. પારિવારિક સૂત્રો મુજબ હુમલાના કારણે તેમને નીકળવાનો મોકો ન મળ્યો આ દરિયાન રશિયાએ ખારકીવમાં જબરદસ્ત મિસાઇલ અટેક કર્યો જેમાં નવીનનો ભોગ લેવાઇ ગયો.


યુક્રેનના ખાર્કિવમાં રશિયન મિસાઈલ હુમલાનો ભોગ બનેલા કર્ણાટકના નવીને આજે સવારે 10:30 વાગ્યે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. તેઓને ક્યાં  ખબર હતી કે જે કોઈ મોબાઈલ ફોનની સ્ક્રીન પર સંપૂર્ણ રીતે સલામત હેમખેમ દેખાતો નવીન ને થોડા કલાકો પછી નહી હોય,  બપોરના એક વાગ્યે વિદેશ મંત્રાલયે પરિવારને મોતની જાણકારી આપી. નવીનના પિતા કર્ણાટકના ખેડૂત છે. યુક્રેન પર હુમલાના સમાચાર બાદ નવીનનો આખો પરિવાર તેની સુરક્ષાને લઈને ચિંતિત હતો. રવિવારે રશિયન સૈનિકોએ ખાર્કિવ પર કબજો જમાવ્યો હોવાના સમાચાર બાદ પરિવારની ચિંતા વધી ગઈ હતી. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાઓને કારણે તેને બહાર જવાની તક મળી રહી ન હતી. દરમિયાન આજે રશિયાએ ખાર્કિવમાં જબરદસ્ત મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં નવીન  નિશાન બન્યોય. . પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે 10:30 વાગે તેને એક વીડિયો કોલમાં તેના માતા-પિતાએ ઘરની બહાર નીકળતી વખતે તિરંગો બતાવવાની સલાહ આપી હતી. પરિવારજનોએ તેની પાસેથી નાસ્તો અને ભોજન વિશે પણ પૂછપરછ કરી હતી.


એમબીબીએસના ચોથા વર્ષમાં હતો નવીન


નવીન કર્ણાટકના હાવેરીનો નિવાસી છે. યૂક્રેનમાં તે આર્કિટેક્ટોરા બેકાતાવામાં રહી રહ્યો હતો. તે ખારકીવમ્ નેશનલ મેડિકલ યૂનિવર્સિટીથી મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે અને તે એમબીબીએસના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો.


આ પણ વાંચો


ગુજરાતમાં લગ્ન કરનારાં માટે આનંદના સમાચાર, જાણો રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત ?


કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો  


India Corona Cases Today: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ, આજે નોંધાયા માત્ર આટલા કેસ


Russia Ukraine War: યુક્રેનના અનેક શહેરો પર બોંબમારો, રશિયન સેનાએ કિવની કરી ઘેરબંધી, આ રહ્યો પુરાવો