Narwal Twin Blast Update: જમ્મુ શહેરની બહારના નરવાલમાં શનિવારે બે વિસ્ફોટ થયા હતા.  જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં સામેલ એજન્સીઓનો દાવો છે કે નરવાલમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં આતંકવાદીઓએ ટાઈમર આઈડીનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. સુરક્ષાની દૃષ્ટિએ આજે ​​(રવિવારે) પણ ટ્રાન્સપોર્ટ ટાઉન નરવાલને સીલ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર નરવાલ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરી ચાલી રહી છે અને હિલચાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.


એક અધિકારીએ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ સુહેલ ઈકબાલ, વિશ્વ પ્રતાપ, વિનોદ કુમાર, અર્જુન કુમાર, અમિત કુમાર, રાજેશ કુમાર અને અનીશ અને ડોડાના સુશીલ કુમાર તરીકે કરી છે. જે તમામ જમ્મુના રહેવાસી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે પ્રથમ વિસ્ફોટ પછી તરત જ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.  જેના 15 મિનિટ પછી બીજો વિસ્ફોટ થયો હતો.


જમ્મુ 15 મિનિટમાં બે વિસ્ફોટોથી હચમચી ગયું 


મોટર સ્પેર પાર્ટ્સ એસોસિએશનના પ્રમુખ સિંઘના જણાવ્યા અનુસાર 15 મિનિટ પછી નજીકમાં બીજો વિસ્ફોટ થયો હતો. જેના લીધે આ વિસ્તારમાં મોટર વાહનનો કાટમાળ ફેલાઈ ગયો. સ્થાનિક રહેવાસી રાજકુમારે જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે બીજા વાહનનું કામ કરી રહ્યો હતો. તેમણે કહ્યું, "અમને શરૂઆતમાં લાગ્યું કે કોઈ વાહનની પેટ્રોલ ટાંકીમાં વિસ્ફોટ થયો છે.  પરંતુ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વાહનનું કચરઘાણ નીકળી ગયું હતું.


ઘાયલોને 50 હજાર રૂપિયાની મદદ


એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ અંગે ઉપરાજ્યપાલને જાણ કરી હતી. ઉપરાજ્યપાલે કહ્યું"આવા કાયરતાપૂર્ણ કૃત્યો હુમલાઓ માટે જવાબદાર લોકોની નિરાશા અને કાયરતાને છતી કરે છે. તેમની સામે તાત્કાલિક અને સખત પગલાં ભરવામાં આવશે. તેમણે ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.


ભારત જોડો યાત્રા અને આતંકવાદી હુમલો


નોંધપાત્ર રીતે આ વિસ્ફોટ શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા એવા સમયે કરવામાં આવ્યા હતા જ્યારે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અને આગામી ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ પર છે. કોંગ્રેસના સાંસદ અને જમ્મુ અને કાશ્મીર બાબતોના પક્ષના પ્રભારી રજની પાટીલે બે વિસ્ફોટોની આકરી નિંદા કરી હતી. તે જ સમયે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) અને આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો છે કે આ ઘટના કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપની નીતિની 'નિષ્ફળતા' દર્શાવે છે.