વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે હતા. તેમણે જામનગરમાં જનસભાને સંબોધિત કરી હતી.
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
PM Modi In Jamnagar: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે

- વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે, જામનગરમાં જનસભાને સંબોધી.
- ગુજરાતના વિકાસ કાર્યો અને સેમિકન્ડક્ટર ક્ષેત્રની પ્રગતિ વર્ણવી.
- પશ્ચિમ બંગાળ ચૂંટણી જીતનો ઉલ્લેખ, કાર્યકરોના બલિદાનને યાદ કર્યા.
- સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધા બાદ વડોદરામાં જનસભા સંબોધશે.
PM Modi In Jamnagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ રવિવારે રાત્રે જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરી હતી. મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરની જનતામાં પીએમ મોદીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને સ્થાનિક લોકોએ 'દિલ સે મોદી' લખેલી ખાસ ઘડિયાળો પહેરીને પીએમને અનોખી રીતે આવકાર્યા હતા.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ગુજરાતની વિકાસગાથા વાગોળતા જણાવ્યું હતું કે, એક જમાનો હતો જ્યારે ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતું. પરંતુ આજે ગુજરાત સેમિકન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને હવે વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત ક્લાયમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવનારું પ્રથમ રાજ્ય છે અને રિન્યૂબલ એનર્જી ક્ષેત્રે દેશના વિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે.
આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જામનગરના નાગરિકો સાથે ભાવપૂર્ણ સંવાદ કરી સ્નેહની સરવાણી વહાવી. pic.twitter.com/ZWrojHJhBb
— BJP Gujarat (@BJP4Gujarat) May 10, 2026
બંગાળની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતનો કર્યો ઉલ્લેખ
પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેમના લાંબા રાજકીય જીવનમાં ઘણી ચૂંટણીઓ જોઈ છે, પરંતુ બંગાળના પરિણામોનો પ્રભાવ પહેલીવાર આટલો ઊંડો અનુભવ્યો છે. બંગાળના વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. બંગાળના લોકોને કોઈ પીડા થાય તો તેની વેદના ગુજરાતીઓ અનુભવતા હતા. ત્યારે આ પરિણામોથી દરેક ગુજરાતીને હાશકારાનો અનુભવ થયો છે. આ માટે ભાજપના 300થી વધુ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યું છે. બંગાળમાં પરિવર્તન આવતા ગુજરાતના લોકોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે. બંગાળના વિકાસમાં છેલ્લા 50 વર્ષનો જે ખાડો છે, તેને ભારતીય જનતા પાર્ટી પૂર્ણ કરશે. પીએમએ કહ્યું કે, દેશની યુવા પેઢી હવે જાગૃત છે અને તેઓ જ દેશનું ભવિષ્ય નક્કી કરશે. તેઓ ભાજપને સતત જનસમર્થન આપી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય જાતે જ નક્કી કરી રહ્યા છે, મોટા સપનાઓ જોઈ રહ્યા છે અને તેને સાકાર પણ કરી રહ્યા છે.
Jamnagar: Prime Minister Narendra Modi says, "Gujarat has taken a massive leap forward in the realm of development. There was a time when, apart from salt production, we did nothing else... That very Gujarat is today manufacturing semiconductor chips, Metro coaches and engines… https://t.co/iNea1hTeAA pic.twitter.com/5rEbHJRGKS
— ANI (@ANI) May 10, 2026
Jamnagar: Prime Minister Narendra Modi says, "...Even if the suffering is endured by Bengal, the pain is felt by the Gujarati. In every nook and cranny of Gujarat, there is a palpable anguish, a deep concern asking: 'What has befallen our Bengal?' Yet, over there, in Bengal… https://t.co/iNea1hTeAA pic.twitter.com/0DGQ1TtQCq
— ANI (@ANI) May 10, 2026
Jamnagar | Prime Minister Narendra Modi says, "...More than 300 of our workers have made the supreme sacrifice in Bengal. Through that sacrifice, a resolve has been transformed into a reality. I am absolutely confident, colleagues, that as a result of the governance model the BJP… https://t.co/iNea1hTeAA pic.twitter.com/ZoqhbTb1pX
— ANI (@ANI) May 10, 2026
Jamnagar: Prime Minister Narendra Modi says, "We have contested countless elections and won many of them... for the very first time, I have witnessed how the elections in Bengal have seemed to captivate the entire nation... I simply cannot believe that there is a single corner of… https://t.co/iNea1hTeAA pic.twitter.com/Json3gnDNo
— ANI (@ANI) May 10, 2026
Jamnagar: Prime Minister Narendra Modi says, "The people of Gujarat harbour a unique affection, along with countless blessings, for the BJP. The current political landscape is such that sustaining public support for such an extended period, and witnessing it grow progressively… https://t.co/iNea1hTeAA pic.twitter.com/Ue1yP61WGM
— ANI (@ANI) May 10, 2026
નોંધનીય છે કે વડાપ્રધાન મોદી આજે સોમનાથની મુલાકાત લેવાના છે. સોમનાથ મહાદેવના નૂતન મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં પીએમ મોદી ભાગ લેશે અને ત્યાર બાદ વડોદરા જવા રવાના થશે. વડોદરામાં પણ એક વિશાળ જાહેર સભાને સંબોધશે.
Frequently Asked Questions
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે ક્યારે હતા?
જામનગરમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કોણે કર્યું હતું?
મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસ વિશે શું કહ્યું?
તેમણે જણાવ્યું કે ગુજરાત હવે સેમિકન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે. ગુજરાત રિન્યૂબલ એનર્જી ક્ષેત્રે પણ મહત્વનો ફાળો આપી રહ્યું છે.
પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો વિશે વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
તેમણે કહ્યું કે બંગાળના પરિણામોનો પ્રભાવ તેમના લાંબા રાજકીય જીવનમાં સૌથી ઊંડો રહ્યો છે. આ પરિણામોથી ગુજરાતીઓને હાશકારો મળ્યો છે અને બંગાળના વિકાસમાં ભાજપ યોગદાન આપશે.






















