Karnataka News: પ્રમોદ મુથાલિકે કર્ણાટકમાં ભાજપના નેતાઓને પડકાર ફેંક્યો છે. મુથાલિકે દાવો કર્યો છે કે, ભાજપના નેતાઓએ કોઈ કામ કર્યું નથી, તેથી તેઓ મોદીના નામ પર જ વોટ માંગે છે.

Continues below advertisement

કર્ણાટકમાં શ્રી રામ સેનાના વડા પ્રમોદ મુથાલિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વોટ માંગવા માટે ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે. કારવારમાં પ્રમોદ મુથાલિકે કહ્યું કે જો તેઓ ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેશે તો ભાજપના નેતાઓને ચપ્પલથી મારવામાં આવશે. મુથાલિકે 23 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ કરકલાથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી લડશે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ શ્રી રામ સેનાના પ્રમુખ પ્રમોદ મુથાલિકે કહ્યું, "તે નાલાયક છે. આ નકામા લોકો પીએમ મોદીનું નામ લે છે, પરંતુ તેઓ તેમના કાર્યકર્તાઓની સમસ્યાઓને સમજી શકશે નહીં." હિંદુ સેનાના વડાએ કથિત રીતે ભાજપના નેતાઓને મોદીના નામ અને ચિત્રનો ઉપયોગ કર્યા વિના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવાનો પડકાર ફેંક્યો હતો.

Continues below advertisement

ભાજપના નેતાઓને મુથાલિકનો પડકાર!

તેમણે કહ્યું, "આ વખતે મોદીનું નામ લીધા વગર વોટ માંગો. પેમ્ફલેટ અને બેનરો પર મોદીની તસવીર ન હોવી જોઈએ. મતદાતા કહે છે કે, ‘તમે ગાયોને બચાવી છે, તમે હિન્દુત્વ માટે કામ કર્યું છે.તો  . ગર્વ સાથે કહો  તમે ઘણું કામ કર્યું છે."પ્રમોદ મુથાલિકે વધુમાં જણાવ્યું હતું કે, "તે આવું નહીં કરે, તે ફરીથી તમારા ઘરઆંગણે આવશે અને કહેશે કે,” તમને બધાને વિનંતી છે કે 'કૃપા કરીને પીએમ મોદીને તમારો મત આપો, કૃપા કરીને તમારો મત પીએમ મોદીને આપો'. જો તેઓ મોદીના નામે વોટ માગે તો  ચપ્પલ વડે માર મારો"

દરમિયાન, મુથાલિકે કર્ણાટકના કરકલા વિધાનસભા મતવિસ્તારના હેબરી તાલુકાના શિવપુરા ગામમાં કથિત 'બેનામી' જમીન વ્યવહારોની વ્યાપક તપાસની માંગણી સાથે લોકાયુક્ત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ, મુથાલિકે દાવો કર્યો હતો કે તેમને ભાજપના કેટલાક નેતાઓનું સમર્થન છે, જેમણે ચૂંટણી લડવા માટે નાણાકીય મદદની ઓફર કરી હતી. તેમણે ચૂંટણી લડવાના નિર્ણયથી પીછેહઠ કરવાનો પણ ઇનકાર કર્યો હતો.

UN : ભારતની મહિલા અધિકારીએ હિના રબ્બાની ખાર અને પાકિસ્તાનને ઝીંક્યો સણસણતો તમાચો

India Counter Attack On Pakistan: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશ રાજ્ય મંત્રી હિના રબ્બાનીએ ફરી એકવાર ભારત પર ખોટા આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે તેના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો છે. જીનીવામાં ભારતીય રાજદ્વારી સીમા પુજાનીએ પાકિસ્તાનને આતંકવાદ ફેલાવનાર દેશ ગણાવ્યો હતો.

રબ્બાનીની નિંદા કરતા પુજાનીએ કહ્યું હતું કે, પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એકવાર આ પ્રતિષ્ઠિત મંચનો દુરુપયોગ કર્યો છે અને ભારત વિરૂદ્ધ દુષ્પ્રચાર કર્યો છે. માનવ અધિકારો પર પાકિસ્તાનની વાત માત્ર એક મજાક છે. જે લોકો પોતાનો અવાજ ઉઠાવે છે તે જ પાકિસ્તાનમાં ગાયબ થઈ જાય છે. પાકિસ્તાનના પોતાના તપાસ પંચને છેલ્લા એક દાયકામાં ગાયબ થવાની 8,463 ફરિયાદો મળી છે એમ જણાવી સીમા પુજાનીએ હિના રબ્બાની સહિત પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડી દીધો હતો. 

'લઘુમતીઓને ધાર્મિક સ્વતંત્રતા નથી'

ભારતે પાકિસ્તાનને સણસણતો તમાચો ઝિંકતા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં વિદ્યાર્થી, એન્જિનિયર, ડૉક્ટર, શિક્ષક અથવા નેતા, જે પણ પોતાનો અવાજ ઉઠાવે છે તેને દેશનિકાલ કરવામાં આવે છે. બલૂચ લોકોએ આ ક્રૂર નીતિનો ભોગ બનવું પડ્યું છે. પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારો પર પ્રકાશ પાડતા સીમા પુજાનીએ કહ્યું હતું લે, પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે કોઈ ધાર્મિક સ્વતંત્રતા નથી. તેઓ તેમના ધર્મનું પાલન કરી શકતા નથી. અહમદિયા સમુદાય પર માત્ર તેમની આસ્થા પાળવા માટે અત્યાચાર ગુજારવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદા દ્વારા લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ઈસાઈઓ માટે ખાલી સાફ-સફાઈની નોકરીઓ જ આરક્ષિત છે. હિંદુ અને શીખ સમુદાયના ધાર્મિક સ્થળો પર અવારનવાર હુમલા થાય છે. લઘુમતી છોકરીઓને બળજબરીથી ઈસ્લામમાં પરિવર્તિત કરાવવામાં આવે છે. તેમનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરવામાં આવે છે. એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનની સેનાની મજાક ઉડાવનારાઓને 5 વર્ષની જેલ થશે. આ બિલ સંસદના ટેબલ પર છે.

'જમ્મુ-કાશ્મીર અમારું હતું અને રહેશે'

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો પર્દાફાશ કરતા ભારતીય રાજદ્વારીએ કહ્યું હતું કે, પાકિસ્તાને હંમેશા આતંકવાદીઓને રક્ષણ આપ્યું છે. આતંકવાદી હાફિઝ સઈદ અને આતંકવાદી મસૂદ અઝહરને વર્ષોથી ઉછેરવામાં આવ્યા છે. આતંકવાદી ઓસામા બિન લાદેન પાકિસ્તાની સેનાનું સંરક્ષક છે. કોલોનીની બાજુમાં રહેતો હતો. કાશ્મીરને લઈને ભારતીય રાજદ્વારીએ સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચનો દુરુપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશોનો સમગ્ર પ્રદેશ ભારતનો હિસ્સો હતો, છે અને રહેશે તેમ કહી સીમા પુજાનીએ પાકિસ્તાના ગાલ પર સણસણતો તમાચો ઝિંક્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતીય વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કરી રહ્યું છે.