Pawan Singh on Lok Sabha Election: ભાજપ દ્વારા શનિવારે (2 માર્ચ) સાંજે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આમાં ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને પણ ટિકિટ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી ભાજપે પવન સિંહને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જો કે ટિકિટ મળ્યાના 24 કલાકની અંદર પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.


ભોજપુરી સુપરસ્ટારે રવિવારે (3 માર્ચ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી કે તે ચૂંટણી નહીં લડે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં. તેમણે આ ટ્વીટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીને ટેગ કર્યા છે.


 


 


 


 






-


BJP Candidates List 2024: BJPની પહેલા લિસ્ટમાં દિગ્ગજોને નહિ સ્થાન, જાણો ક્યાં નેતાના નામ ગાયબ


Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ છે, જેમાંથી 34 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન મંત્રીઓ છે. મતલબ કે ભાજપે ફરી આ મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ભાજપે પ્રથમ યાદીમાં ઘણા શક્તિશાળી મંત્રીઓના નામ જાહેર કર્યા નથી. સૌથી પહેલા જાણીએ કે ભાજપે કયા મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.


ભાજપની પ્રથમ યાદીમાં આ મંત્રીઓને ટિકિટ મળી હતી


નરેન્દ્ર મોદી - વારાણસી


અમિત શાહ - ગાંધીનગર


રાજનાથ સિંહ - લખનૌ


સ્મૃતિ ઈરાની - અમેઠી


કિરેન રિજિજુ - અરુણાચલ પૂર્વ


રાજીવ ચંદ્રશેખર - તિરુવનંતપુરમ


જ્યોતિરાદિત્ય સિંધિયા- ગુના


ભૂપેન્દ્ર યાદવ -અલવર


ગજેન્દ્ર સિંહ શેખાવત- જોધપુર


સર્બાનંદ સોનોવાલ- ડિબ્રુગઢ


સંજીવ બાલિયા- મુઝફ્ફરનગર


અર્જુન મુંડા -ખુંટી


અર્જુન રામ મેઘવાલ -બિકાનેર


પરષોત્તમ રૂપાલા -રાજકોટ


મનસુખ માંડવીયા- પોરબંદર


દેવુસિંહ ચૌહાણ -ખેડા


કૈલાશ ચૌધરી -બાડમેર


જીતેન્દ્ર સિંહ -ઉધમપુર


અન્નપૂર્ણા દેવી- કોડરમા


જી કિશન રેડ્ડી- સિકંદરાબાદ


ફગ્ગન સિંહ કુલસ્તે- મંડલા


વિરેન્દ્ર ખટીક-- ટીકમગઢ


વી મુરલીધરન - અટિંગલ


સત્યપાલ બઘેલ - આગ્રા


અજય મિશ્રા ટેની -ખેરી


કૌશલ કિશોર -મોહનલાલગંજ


ભાનુ પ્રતાપ વર્મા-  જાલૌન


સાધ્વી નિરંજન જ્યોતિ - ફતેહપુર


પંકજ ચૌધરી  - મહારાજગંજ


નિશીથ પ્રામાણિક- કૂચ બિહાર


શાંતનુ ઠાકુર -બાણગાંવ


સુભાષ સરકાર – બાંકુરા


હવે વાત કરીએ એવા મંત્રીઓની કે જેમનું કદ મોદી સરકારમાં ભલે ઘણું મોટું હોય, પરંતુ તેઓ લોકસભા ચૂંટણીની પ્રથમ યાદીમાં પોતાનું સ્થાન બનાવી શક્યા ન હતા. જો કે તેમાંથી કેટલાક રાજ્યસભામાંથી સાંસદ પણ બન્યા છે, પરંતુ ભાજપની તાજેતરની રણનીતિ અનુસાર પાર્ટી રાજ્યસભાના સાંસદોને પણ મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં પણ આ કર્યું છે. જો કે, ચાલો જાણીએ કે મોદી સરકારના કયા મંત્રીઓને પ્રથમ યાદીમાં સ્થાન મળ્યું નથી.


આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન


નીતિન ગડકરી,ગિરિરાજ સિંહ,રાજકુમાર સિંહ,અનુરાગ ઠાકુર,રાવ ઈન્દ્રજીત સિંહ,અશ્વિની ચૌબે,વીકે સિંહ,કૃષ્ણપાલ,દાનવે રાવસાહેબ દાદારાવ,નિત્યાનંદ રાય,શોભા કરંડલાજે,દર્શના જરદોશ,  મીનાક્ષી લેખી,સોમ પ્રકાશ,રામેશ્વર તેલી,અન્નપૂર્ણા દેવી,નારાયણસ્વામી,અજય ભટ્ટ,ભગવંત ઘુબા,કપિલ મોરેશ્વર પાટીલ,પ્રતિમા ભૌમિક,સુભાષ સરકાર,રાજકુમાર રંજન સિંહ,ભારતી પંવાર,બિશ્વેશ્વર તોડુ,એમ. મહેન્દ્રભાઈ,જોન બાર્લા,આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન