રાજકોટ: રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં મતદાન કર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ પત્ની અંજિલબેન સાથે રાજકોટની અનિલજ્ઞાન મંદિર સ્કૂલમાં મતદાન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ આજે જ કોરોનાને મ્હાત આપી છે. તેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.


ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈની યુએન મહેતા હોસ્પિટલમાં કોરોના દર્દી તરીકેની સારવાર કરવામાં આવી હતી. આજે છ મહાનગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સીએમ રૂપાણી આજે 5 વાગે રાજકોટમાં મતદાન કર્યું છે.

સીએમ રૂપાણીએ આજે મતદાનના દિવસે ટ્વીટ કરીને લોકોને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે અપીલ કરી છે.