રાજકોટના જંગલેશ્વરમાં આસું અને આક્રોશ વચ્ચે ડિમોલિશનનું કાઉંટડાઉન, 1489 ઘર થશે ધરાશાયી
રાજકોટના જંગલેશ્વરના 1489 મકાનોનું શહેરના ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલીશન 23 ફેબ્રઆરી 2026 સોમવારના દિવસે હાથ ધરાશે, રહેવાસીઓમાં આંસુ સાથે આક્રોશ પણ છે. મહાપાલિકાએ મેગા ડિમોલિશનની તૈયારીને આજે આખરી ઓપ આપ્યો હતો

Rajkoat News:રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનનું કાઉંટડાઉન શરૂ થઇ ગયું છે. ડિમોલિશનને લઇને તંત્રએ સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ઉલ્લેખિય છે કે, 23 ફેબ્રુઆરી સોમવારે સવારે 8 વાગ્યે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન શરૂ થશે, મેગા ડિમોલિશનને લઈ જંગલેશ્વર પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે જંગલેશ્વરમાં ડિમોલિશન માટે પોલીસનો જબરજસ્ત એક્શન પ્લાનનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
જંગલેશ્વર વિસ્તારને અલગ અલગ સાત ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 64થી વધુ JCB, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીનનો ડિમોલિશન માટે ઉપયોગ કરવામાં આવશે, 50 બ્રેકર, 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે માઈક્રો પ્લાનિંગ કરાયું છે. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે. 1,130થી વધુ સ્ટાફ તૈનાત કરવામા આવ્યો છે. ડિમોલિશન દરમિયાન લગભગ 1500 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે.
23 ફેબ્રુઆરીએ સવારથી 1492 જેટલાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવાશે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. આજી નદી પટ્ટમાં આશરે 87,000 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે, આજી નદી પટ્ટા વિસ્તાર આશરે કુલ મળીને આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા 1489 જેટલા મકાનો સહિતનું બાંધકામ તબક્કાવાર દૂર કરવામાં આવશે.
ઉલ્લેખનિ છે કે, રાજકોટ શહેરમાં આજી નદી અને ખોખડદડી નદીના પશ્ચિમ કાંઠે આવેલા જંગલેશ્વર, બુદ્ધનગર, રાધાકૃષ્ણનગર, નાળોદાનગર, સિદ્ધાર્થનગર વગેરે વિસ્તારોમાં આવેલા 1358 મકાનધારકોને સરકારે 27 જાન્યુઆરીના રોજ છેલ્લી ડિમોલિશન નોટિસો ફટકારી છે. અહીં રહેતા રહેવાસીઓ આ નિર્ણયના વિરોધમાં છે. લોકોની ઘરનો આશ્રય છીનવાઇ જતો હોવાથી લોકોની આંખમાં આંસુ છે. લોકોનું કહેવું છે કે, તેઓ અહીં 45થી વધુ વર્ષથી અહી રહે છે અને તે વીજળીનાં બિલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાને ટેક્સ પણ ભરે છે. તેની રિસિપ પણ તેમની પાસે છે. અહીં રહેતા લોકોએ દાવો કર્યો કે તેમની પાસે જમીન કે મકાન ખરીદ્યાના ત્રાહિત પક્ષો સાથે કરેલા કરારખત પણ છે.























