કોરોના સામે રામબાણ સમાન ગણાતી વેક્સિનેશનની કામગીરી સૌરાષ્ટ્રમાં માંડ 50થી 60 ટકા થઈ છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજથી 18 વર્ષથી વધુની વયના તમામ લોકો માટે વેક્સિનેશનનો પ્રારંભ થશે. અત્યાર સુધીમાં ચાલેલી રસીકરણની કામગીરી પર એક નજર કરીએ તો 45થી 59 વર્ષના લોકોના રસીકરણ માટે રાજકોટ જિલ્લામાં 4 લાખ 21 હજાર પૈકી 2 લાખ 28 હજાર લોકોને કોરોના રસી અપાઈ ચૂકી છે. જ્યારે રાજકોટ શહેરમાં 3 લાખ 60 હજાર વ્યકિત પૈકીના 2 લાખ 90 હજાર 395 લોકોને રસીકરણ થઈ ચૂક્યું છે.


આ જ રીતે જામનગર જિલ્લામાં 2 લાખ 1 હજાર લોકો પૈકી અત્યાર સુધી 1 લાખ 56 હજાર 300 વ્યકિતને કોરોનાની રસી અપાઈ એટલે કે 75 ટકા રસીકરણ થયું છે. તો જૂનાગઢ જિલ્લામાં 2 લાખ 50 હજાર 105 વ્યકિત પૈકી 1 લાખ 87 હજાર 389 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કુલ 2 લાખ 18 હજાર 778 લોકોએ કોરોનાની રસી લીધી છે. કુલ 4 લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવનાર છે. તેમાંથી 51 ટકાને આવરી લેવાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 લાખ 90 હજાર વ્યકિતને રસીકરણનો અંદાજ હતો. તે પૈકી 1 લાખ 36 હજાર 327ને રસીકરણ કરી દેવાયું છે એટલે કે જિલ્લામાં 57 ટકા કામગીરી પૂર્ણ થઈ છે.


નોંધનીય છે કે, ગઈકાલે  રાજ્યમાં 14352 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે ગઈકાલે કોરોનાના  14340 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 170 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6656  પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.


રાજ્યમાં ગઈકાલે 7803 લોકોએ કોરોનાને મ્હાત આપી છો. તેની સાથે અત્યાર સુધી 3,90,229 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 27 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,27,840  પર પહોંચ્યો છે. જેમાંથી 418 લોકો વેન્ટિલેટર પર અને 1,27,422 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.37 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, આણંદ 1, અરવલ્લી 4, બનાસકાંઠા 5, ભરૂચ 2, ભાવનગર 2, ભાવનગર કોર્પોરેશન 2, બોટાદ 1, છોટા ઉદેપુર 1, દાહોદ 2, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, જામનગર 9, જામનગર કોર્પોરેશન 9, જૂનાગઢ 2, જૂનાગઢ કોર્પોરેશન 3, કચ્છ 12, મહીસાગર 2, મહેસાણા 4, મોરબી 7, પંચમહાલ 1, પાટણ 4, રાજકોટ 4, રાજકોટ કોર્પોરેશન 9, સાબરકાંઠા 6, સુરત 4, સુરત કોર્પોરેશન 23, સુરેન્દ્રનગર 5, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 10 અને વલસાડ 3 મોત સાથે કુલ 170 લોકોના મોત થયા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


ગઈકાલે અમદાવાદમાં 56,  અમદાવાદ કોર્પોરેશનમાં 5669, અમરેલી 188,  આણંદ 124, અરવલ્લી 86, બનાસકાંઠા 224, ભરૂચ 175, ભાવનગર 124, ભાવનગર કોર્પોરેશન 233, બોટાદ 53, છોટા ઉદેપુર 69, દાહોદ 216, ડાંગ 22,દેવભૂમિ દ્વારકા 40, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 165,  ગીર સોમનાથ 126, જામનગર 299, જામનગર કોર્પોરેશન 398, જૂનાગઢ 128, જૂનાગઢ કોર્પોરેશન 133, ખેડા 157,  કચ્છ 177, મહીસાગર 166, મહેસાણા 469, મોરબી 68, નર્મદા 58, નવસારી 128,  પંચમહાલ 107, પાટણ 210, પોરબંદર 47, રાજકોટ 82, રાજકોટ કોર્પોરેશન 452, સાબરકાંઠા 106, સુરત 411, સુરત કોર્પોરેશન 1858, સુરેન્દ્રનગર 262, તાપી 151,  વડોદરા 229, વડોદરા કોર્પોરેશન 402 અને વલસાડ 124  કેસ સાથે કુલ 14352  કેસ નોંધાયા છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,11,122 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,11,484 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,16,22,606 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14352 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7803 લોકો સ્વસ્થ થયા છે.