રાજકોટઃ ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ પ્રવાસે છે. જ્યાં તેમણે આજે પાટીદાર આંદોલનને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, પાટીદાર આંદોલનના ઘણા કેસો પાછા ખેંચાયા છે અને 78 જેટલા કેસ ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

Continues below advertisement

આ ઉપરાંત તેમણે કહ્યું, રાજકોટ શહેર ભાજપનું સંગઠન મજબૂત છે.  આગામી ચૂંટણીને લડતાં પડકારો આવશે તે ઝીલવા તૈયાર છે. આવનારી ચૂંટણીઓ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં જ લડવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંનો રિપીટ થિયરી ચોક્કસ અપનાવવામાં આવશે. સેનેટ અને સિન્ડિકેટ ચૂંટણીમાંનો રિપીટ થિયરી અપનાવાશે.

એરપોર્ટ પર સી.આર પાટીલે મોહન કુંડારિયાની નોંધ લીધી હતી. સી.આર. પાટીલે કહ્યું, મોહન કુડારિયા ક્યાં ગયા. મોહન કૂડારિયાએ કહ્યું આ રહ્યો. રાજકોટ આવેલા સી.આર. પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરના ભાજપમાં જોડાશે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમરીશ ડેર પહેલા ભાજપના કાર્યકર હતા. અમરીશ ડેરને પહેલા ભાજપના કાર્યકર હતા. મેં એમને કોઈ આમંત્રણ આપ્યું નથી. મારા વશમાં છે ત્યાં સુધી અમે કોઈ કોંગ્રેસીઓને લેવા તૈયાર નથી.

Continues below advertisement

રાજકોટમાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ પર સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોની નજર છે. રાજકીય આગેવાનોની સાથે સાથે લોકોની પણ નજર છે. આજે આખો દિવસ સી.આર રાજકોટમાં છે. ક્યા ક્યા નેતાઓ ઉપસ્થિત રહેશે અને ક્યા ક્યા નેતાઓ ગેરહાજર રહેશે તેના પર સૌ કોઈની નજર છે. આવતા દિવસોમાં શહેર ભાજપમાં કિંગમેકર કોણ તેના પર સૌકોઈની નજર છે. 

રાજકોટમાં કેટલાક ભાજપ કાર્યકરોના ઘરે લગ્ન અવસરમાં સીઆર પાટીલ ભાગ લેશે. બપોરે દોઢ વાગ્યે નામાંકિત ઇમ્પિયરલ હોટેલમાં ઉદ્યોગપતિઓ સાથે પાટીલ ચર્ચા કરશે. બપોરે 3 વાગ્યે હેમુ ગઢવી હોલના મીની થિયેટરમાં શહેર ભાજપના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠક કરશે. ત્યારબાદ હેમુ ગઢવી હોલમાં બ્રહ્મસમાજના કાર્યક્રમમાં સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. સી આર પાટીલના કાર્યક્મ ને લઇ સાસંદ રામભાઈ મોકરીયા, કશ્યપ શુક્લ ,ભરત બોધરા ,ગોવિંદ પટેલ મોખરે. પૂર્વ CM વિજય રૂપાણી આજે બહારગામ હોવાથી હાજર નહિ રહે.