Rajkot Crime: રાજકોટમાં હત્યાની એક સનસનીખેજ ઘટનાએ તમામના હોશ ઉડાવી દીધા છે. હાલમાં જ એક સમાચાર મળી રહ્યા છે કે શહેરમાં મુસ્લીમ સમાજમાં ભાવિ બનેવીએ સાળાની હત્યા કરી નાંખી છે, આ ઘટના ત્યારે બની જ્યારે સાળાએ બનેવી શ્યામવર્ણનો હોવાની વાત કહીને બહેનની સગાઇ ફોક કરાવવાની ઇચ્છ દર્શાવી હતી.


મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં મુસ્લિમ સમાજમાં ભાવી બનેવીએ પોતાના સાળાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. ઘટના એવી છે કે, શહેરમાં ન્યૂસાગર સોસાયટી મુસ્લિમ યુવક મોહસીન આદમણી રહેતો હતો, તેને પોતાની બહેનની સગાઇ નોસાદ નામના છોકરા સાથે થઇ હતી, આ નોસાદ કાળો એટલે કે શ્યામ વર્ણનો હોવાથી મોહસીનને ગમતો નહતો, તેને બહેનની સગાઇ નોસાદ સાથે ફોક કરાવવાની વાત કહી હતી, આ વાતથી ઉશ્કેરાયેલા ભાવિ બનેવી નોસાદે અન્ય પાંચ શખ્સો સાથે મળીને સાળા મોહસીન આદમણીની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને લઇને શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. 


50 હજારના મોબાઇલ માટે મિત્રની કરી નાખી હત્યા, મર્ડરનો ઉકેલાયો ભેદ


ગત મંગળવારે મુન્દ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. માત્ર 50 હજારના મોબાઇલ માટે મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખિયન છે કે, મુન્દ્રામાં શિક્ષક દંપતીના એક ને એક પુત્રની હત્યા થઇ જતાં આ સમગ્ર ઘટનાના કારણે મુન્દ્રામાં ચકચાર મચી ગઇ હતી. આ આ ઘટના  ટોક ઓફ ધ ટાઉન બની હતી. કચ્છના મુન્દ્રામાં ત્રણ દિવસ પહેલા યુવકની  હત્યા કરાયેલી લાશ મળી હતી. શાસ્ત્રી મેદાનની પાછળ સાઈડની નદી વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મુન્દ્રા પોલીસે મર્ડરનો ભેદ ઉકેલાતા વધુ તપાસ હાથ ધરી છે.                               


શું છે સમગ્ર ઘટના


મૃતક નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરની નદી કિનાર લાશ મળી આવી હતી. બાદ પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા તેમના જ મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન સઘન પૂરપરછ કરતા આરોપી મિત્ર ગભરાય ગયો હતો અને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે અગાઉ પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે મનદુ:ખ થયું હતું. બાદ દેવું ઉતારવા માટે નિપૂર્ણનો 50 હજારનો ફોન લઇને વેચી દેવા માટે તેમની હત્યા કરી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.