શોધખોળ કરો

Rajkot News: રાજકોટના મેયર પતિના ગેરકાયદે નિર્માણ સામે મનપાની નોટિસ, બાંધકામ કાયદેસર હોય તો પુરાવા આપવા સૂચના

Rajkot News: આખરે સૂચિત પ્લોટમાં કરેલા ગેરકાયદે બાંધકામને 260(1) મુજબની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે બાંધકામ કાયદેસર હોવાના પુરાવા આપો

Rajkot News: રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડિયાના પતિ વિનોદભાઈ પેઢડિયાએ સંત કબીર રોડ પર સૂચિત પ્લોટમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ કર્યાનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ મનપાના ટીપી શાખાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. આખરે સૂચિત પ્લોટમાં કરેલા ગેરકાયદે બાંધકામને 260(1) મુજબની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે બાંધકામ કાયદેસર હોવાના પુરાવા આપો અથવા તો પોતાની રીતે જ બાંધકામ દૂર કરવું. જો ખુલાસો નહીં કરે અથવા તો ખુલાસો યોગ્ય નહીં હોય તો મનપા 260 (2) એટલે કે ડિમોલીશનની આખરી નોટિસ આપશે અને દબાણ દૂર કરવાનું રહેશે. આટલું જ નહીં ટીપી શાખાએ હવે સૂચિત પ્લોટમાં આગળનું બાંધકામ ન કરવા પણ ચેતવણી આપી છે. નોંધનીય છે કે વિવાદ બાદ નયનાબેન પેઢડિયાએ મીડિયા સમક્ષ દાવો કર્યો કે પારિવારિક ડખ્ખામાં આ મુદ્દો મીડિયામાં ચગાવાયો છે. આ પ્લોટ સૂચિતનો છે તે કબૂલ્યું. તો એ પણ સ્પષ્ટ કર્યું કે પ્લોટ બાપદાદાની માલિકીનો છે અને નિયમ મુજબ જ બાંધકામની પરવાનગી મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

નોંધનીય છે કે સંત કબીર રોડ પર એક કોર્નર પ્લોટ પર હાલ બે માળનું કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ ખુદ મેયર નયનાબેન પેઢડીયાના પતિ દ્વારા કરાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ વિસ્તાર 'સૂચિત' શ્રેણીમાં આવે છે, જ્યાં નવા કોમર્શિયલ બાંધકામ પર કડક પ્રતિબંધ છે.  નિયમોને નેવે મૂકીને અહીં એક ઇંચનું પણ માર્જિન  છોડવામાં આવ્યું નથી.  મેયરના પતિએ બાંધેલી ઈમારતનો મુદ્દો કોર્પોરેશનના બજેટ બોર્ડમાં પણ જોરશોરથી ગાજ્યો હતો.  વશરામ સાગઠિયાએ તો સભામાં સવાલ ઉઠાવતા કહ્યું કે, મેયરના પતિએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તેને તંત્ર ક્યારે તોડી પાડશે ? બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેને સૂચિત પ્લોટમાં કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ ચલાવી નહીં લેવાય તેવી વાત કરી હતી. 


રાજકોટના જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં 153 જેટલા મકાનો તોડી પડાશે

રાજકોટ જંગલેશ્વર નજીક ડિમોલિશનની કાર્યવાહી સ્થાનિક પ્રશાસન હાથ ધરશે. રાજકોટ મહાનગરપાલિકા 23 ફેબ્રુઆરીએ રાજકોટના ઈતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરશે. રાજકોટ મનપાના અધિકારીઓ જંગલેશ્વર પહોંચ્યા હતા. સ્થાનિક લોકોને સમજાવવા મનપાની ટીમ પહોંચી હતી. સોમવારે મેગા ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવાર જંગલેશ્વર નજીકના વિસ્તારોમાં ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાવાનું છે. સોમવારે 153 જેટલા ગેરકાયદે બાંધકામ તોડી પડાશે. 23 JCB, 23 ટ્રેક્ટર, હેવી મશીનો, 150 મજૂરો કામે લાગશે. સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરવા અંતિમ નોટિસ અપાઈ છે. ડિમોલિશન દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ત્રણેય સિટી ઈજનેરને ડિમોલિશન માટે અલગ અલગ ભાગ અપાયા છે. 2 હજારથી વધુ જવાનો, સ્પેશિયલ એક્શન ફોર્સ તૈનાત કરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
રાજકોટ શહેર એડીશનલ પોલીસ કમિશનરનો ચાર્જ IPS ચૈતન્ય માંડલિકે સંભાળ્યો
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
Rajkot: રાજકોટમાં જંગલેશ્વર બાદ હવે આ વિસ્તારમાં મેગા ડિમોલિશન,સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઝપાઝપી
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
Advertisement

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદના બાપુનગરમાં ધો.11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો
Surat news: સુરતના પાંડેસરામાં ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Surat Police: પોલીસના નામે તોડ કરતી ગેંગ આવી પોલીસ સકંજામાં
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
RCB ફેન્સ માટે ખુશખબરી! બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે IPL મેચ, કર્ણાટક સરકારે આપી મંજૂરી 
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
Surat News: સુરતમાં ધોરણ 10 ના વિદ્યાથી પર છરી વડે હુમલો, બોર્ડ પરીક્ષાના બાકીના પેપર નહીં આપી શકે
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
...તો LPG સિલિન્ડર બુધવાર સુધી જમા કરાવવા પડશે, રાજ્ય સરકારનું મોટું નિવેદન
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
1 એપ્રિલથી મોંઘો થઈ જશે FASTagનો વાર્ષિક પાસ, હાલમાં સસ્તામાં લેવાની છે તક, જાણો પ્રોસેસ
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
Ahmedabad News: બાપુનગરમાં ટ્યૂશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થી પર છરી વડે હુમલો
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Odisha Hospital Fire: SCB મેડિકલ કોલેજના ICUમાં લાગી ભીષણ આગ, 10 દર્દીઓના મોત, 5 ગંભીર
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Bengal elections: ચૂંટણી પંચે બંગાળના મુખ્ય સચિવ અને ગૃહ સચિવને હટાવ્યા, જાણો કોને મળી જવાબદારી?
Embed widget