રાજકોટ: હાલ ગુજરાતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે રાજકોટની અનેક સ્કૂલોનાં સંચાલક બેફાન બન્યા છે. સ્કૂલના સંચાલકોમાં માનવા મરી પરવારી છે. રાજકોટમાં મોદી સ્કૂલ બાદ હવે RKC સામે DEOને ફરિયાદ મળવા ઉઠી છે. સ્કૂલના સંચાલકો વાલીઓ પાસે ફીની માગણી કરતાં સ્કૂલા સંચાલકોને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ફી ન ઉઘરાવવા માટે સુચના આપવામાં આવી છે.


લોકડાઉન દરમિયાન રાજકોટની અનેક સ્કૂલ સંચાલકોની માનવતા મરી પરવારી છે. ત્યારે શહેરમાં મોદી સ્કૂલ બાદ હવે RKC સ્કૂલના સંચાલકોએ વાલીઓને ફોન કરીને ફી ભરવા માટે ફોન કર્યાં હતાં. જેની ફરિયાદ DEOને કરવામાં આવી હતી ત્યાર બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક સ્કૂલ સંચાલકોને ફી ન ઉઘરાવવા માટે સુચના આપી હતી.

નોંધનીય છે કે, મોદી સ્કૂલે ખાતરી આપી હતી કે ફી માટે વાલીઓને ફોન કરવામાં આવશે નહીં જેને મોદી સ્કૂલ સામે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિયેશ પણ નારાજ થયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારીએ ગઈકાલે મોદી સ્કૂલને નોટિસ ફટકારી હતી.