PM Surya Ghar Muft Bijli Yojana: સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 75,021 કરોડ રૂપિયાના રોકાણ સાથે દેશના 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે. જે  1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપશે.


78000 રૂપિયા સુધીની સબસિડી મળશે


આ યોજના હેઠળ, 2 કિલોવોટ સિસ્ટમના રહેણાંક રૂફટોપ સોલાર માટે, સિસ્ટમની કુલ કિંમતના 60 ટકા કેન્દ્રીય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. 2 થી 3 કિલોવોટ સિસ્ટમની કિંમતના 40 ટકા સુધી નાણાકીય સહાય આપવામાં આવશે. 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવા પર જ નાણાકીય સહાયની જોગવાઈ હશે. આનો અર્થ એ થયો કે સરકાર 1 kW સિસ્ટમ પર રૂ. 30,000, 2 kW સિસ્ટમ પર રૂ. 60,000 અને 3 kW સિસ્ટમ પર રૂ. 78,000 સુધીની સબસિડી આપશે.


રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સસ્તી લોન મળશે


તમારા ઘરે રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે સબસિડી મેળવવા માટે, તમારે રાષ્ટ્રીય પોર્ટલ પર અરજી કરવી પડશે અને તેને ઇન્સ્ટોલ કરવા માટે વેન્ડરની પસંદગી  કરવી પડશે. અરજદારોને નિર્ણયો લેવાનું સરળ બનાવવા માટે સિસ્ટમના કદ, લાભ કેલ્ક્યુલેટર અને વેન્ડર રેટિંગની માહિતી રાષ્ટ્રીય પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. તેમના ઘરે 3 કિલોવોટ સુધીની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, અરજદારો 7 ટકાના પોસાય તેવા વ્યાજ દરે કોલેટરલ ફ્રી લોન લઈ શકશે.


કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે


પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, ઘરો વીજળીના બિલ બચાવી શકશે અને વધારાની વીજળી ડિસ્કોમને વેચીને પૈસા કમાઈ શકશે. 3 કિલોવોટ રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા સરેરાશ 300 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. આ યોજના દ્વારા રહેણાંક ક્ષેત્રમાં 30 ગીગાવોટ સોલાર ક્ષમતા ઉભી કરી શકાય છે. 1000 BU વીજળી ઉત્પન્ન કરી શકાય છે અને 720 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનને આગામી 25 વર્ષમાં રૂફટોપ સોલાર સિસ્ટમના જીવનકાળમાં ઘટાડી શકાય છે.


17 લાખ લોકોને રોજગાર મળશે


સરકારે કહ્યું કે, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના દ્વારા, 17 લાખ ડાયરેક્ટ જોબ મેન્યુફેકચરિંગ, લોજિટિક્સ, સપ્લાય ચેન,સેલ્સ, ઇન્ટોલેશન, એએન્ડએમ અને બીજી સર્વિસિઝ પેદા કરી શકાય છે.જે લોકો આપના ઘર પર રૂફ ટોપ સોલાર લગાવવામાં ઇચ્છે છે. https://pmsuryaghar.gov.in પર જઇને રજિસ્ટ્રર કરાવવું પડશે.