નવસારીઃ દુબઇથી પરત આવેલા 26 વર્ષીય યુવકે કેમ કરી લીધો આપઘાત? જાણો શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2020 10:18 AM (IST)
છાપરાંની પંચવટી સોસાયટીમાં રહેતા 26 વર્ષીય સુનિલ ઉર્ફે શનિ પરમારે પૂર્ણાં નદીમાં ઝપલાવીને આપઘાત કરી લીધો છે. સચિન GIDCમાં કોન્ટ્રાક્ટથી કામે જતો હતો, પણ કોઈક વાર જ કામ મળતું હતું. પરિવારમાં માત્ર પિતા-પુત્ર જ રહેતા હતા. એકના એક દીકરાને ગુમાવતા પિતા પર આભ તૂટી પડ્યું છે.
મૃતક સુનિલ પરમારની ફાઇલ તસવીર.
નવસારીઃ કોરોનાને કારણે દુબઇથી વતન નવસારી પરત ફરેલા 26 વર્ષીય યુવકે પૂર્ણા નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દુબઇમાં વેલ સેટલ સુનિલ ઉર્ફે શનિ પરમારે કોરોનાને કારણે નવસારી આવ્યું પડ્યું હતું. જોકે, નવસારી આવ્યા પછી બેરોજગારીથી કંટાળી યુવાને આત્મહત્યા કરી લીધી છે. છાપરાંની પંચવટી સોસાયટીમાં રહેતા 26 વર્ષીય સુનિલ ઉર્ફે શનિ પરમારે પૂર્ણાં નદીમાં ઝપલાવીને આપઘાત કરી લીધો છે. સચિન GIDCમાં કોન્ટ્રાક્ટથી કામે જતો હતો, પણ કોઈક વાર જ કામ મળતું હતું. પરિવારમાં માત્ર પિતા-પુત્ર જ રહેતા હતા. એકના એક દીકરાને ગુમાવતા પિતા પર આભ તૂટી પડ્યું છે.