સુરત: કોરોના મહામારીને કારણે હાલ, સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ત્યારે તમામ શાળાઓને ઘરેથી ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રાખવા DEOએ આદેશ આપ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાઓમાં એક અઠવાડિયા સુધી સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


શાળામાં વહીવટી કાર્ય બંધ રાખી શિક્ષકો દ્વારા ઘરેથી ઓનલાઈન એજ્યુકેશન શરૂ રાખવામાં આવે, તેવો આદેશ કરાયો છે. ઓનલાઈન એજ્યુકેશન સિવાય કોઈ વિકલ્પ નથી.