Gujarat Politics: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરત જિલ્લામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સેવણી સેવા સહકારી મંડળીના પ્રમુખ તેમજ કામરેજ તાલુકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા કિશન પટેલ આજે ભાજપમાં જોડાશે. કિશન પટેલ આજે મંત્રી મુકેશ પટેલના હસ્તે ભાજપમાં પ્રવેશ કરશે. નોંધનિય છે કે, છેલ્લા બાર વર્ષથી કોંગ્રેસમાં રહેલા કિશન પટેલ આજે કેસરિયો ધારણ કરશે. સુરત જીલ્લા કોંગ્રેસના મજબૂત નેતા છે કિશન પટેલ. સુરત જિલ્લામાં સતત કોંગ્રેસ તૂટી રહી છે. જેને લઈને આગામી ચૂંટણીમાં પાર્ટી માટે કપરા ચઢાણ જોવામ મળશે.


5 સપ્ટેમ્બર રાહુલ ગાંધી રિવરફ્રન્ટ ખાતે સંમેલનને સંબોધશે


અમદાવાદઃ રાહુલ ગાંધીના પ્રવાસ અંગે કોંગ્રેસના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ. કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું કે, અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 5મી તારીખે રાહુલ ગાંધી સંમેલનને સંબોધન કરશે. પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સામેલન નામ આપવામાં આવ્યું છે. પુરા ગુજરાતમાં અમારા આગેવાનો આ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. બુથના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા રાહુલ ગાંધી આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, સરકારમાં પરિવર્તન, બેરોજગારીમાં પરિવર્તન લાવવામાં આવશે. મહિલાઓ ઉપર થતાં અત્યાચારમાં પરિવર્તન, પેપર ફૂટવાની ઘટનામાં પરિવર્તન લાવવા માટેનો સંકલ્પ છે. 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોદ્ધાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે.

 

મહેસાણામાં 7 મતદારોમાં ગોટાળો નીકળ્યો છે. અમે તમામ 182 બેઠકોની મતદાર યાદી ચકાસવામાં આવશે. દરેક બેઠક ઉપર એવરેજ 10 હજાર બોગસ મતદારો છે.  આવા બોગસ મતદારો રદ્દ કરવા કોંગ્રેસ કાનૂની અને રસ્તાની લડાઈ લડશે. 5મી તારીખે ગુજરાતના રાજકારણમાં આશ્ચર્જનક વળાંક આવશે. ગોપાલ ઇટાલિયા સામે થયેલી ફરિયાદ અંગે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, આ દેશમાં ભાજપે વિશ્વ વિભૂતિ નેતાઓની છાપ બગાડવા કોઈ શબ્દો બાકી નથી રાખ્યા. મતનો લાભ લેવા માટે કોઈની સામે ફરિયાદ કરી છે. ડ્રગ્સનું ગુજરાતમાં પ્રોડક્શન થઈ રહ્યું છે.

 

જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવેઃ કેજરીવાલ


રાજકોટઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સેને સંબોધતાં  સુરતની ઘટનાને લઈને કેજરી વાલે આક્રમ પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યું આ ગુજરાત અને દેશની સંસ્કૃતિ નથી. જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે.


સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જાનલેવા હુમલો કર્યો. કેજરીવાલે કહ્યું કે અમે કોંગ્રેસ નથી અમે હિંમતથી સામનો કરીશું.હવે આ લોકો જનતા પર હુમલોઓ કરાવશે. પણ તમે સંયમ રાખજો. આ લોકો પત્રકારોને ફિટ કરાવી દેશે. રાજકોટમાં પત્રકાર પર પોલીસ ફરિયાદને લઈને કર્યા આકારા પ્રહારો.


આ વખતે ઝાડું નું બટન દબાવજો. હું એક જ મહિનામાં તમામ વચનો પુરા કરીશ. પોલીસ ગ્રેડ પે લઈને સરકારે શરતો રાખી. સુરતમાં 12 માંથી 7 સીટ આમ આદમી પાર્ટીની આવશે . ભુજમાં ભાજપની સભામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ લોકોને કહ્યું, હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરને મારી આપીલ છે કે તમે આ દરરોજ સવારીમાં લોકોને કહો, હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. ભાજપના પેઈજ પ્રમુખો અમારી સાથે જોડાયા. શુ આપ્યું તમને ભાજપે. તમે ભાજપમાં રહો કામ અમારા માટે કરો. ગુજરાતમાં જબબરજસ્ત માહોલ બની ગયો. કાંઈક તો અમારા પર ભગવાનના આશિર્વાદ. મીડિયાવાળાને પણ આ લોકો ધમકાવે.