સુરતઃ 2022ની ચૂંટણી પહેલા ગુજરાતમાં વ્યાપ વધારવા આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. પત્રકાર બાદ હવે ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો પર આપની નજર છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા આવતીકાલે સુરત આવશે. ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા અને સમાજ સેવા કરતા મોટા ચહેરાને આપમાં જોડે તેવી શક્યતા છે. સુરતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાથી પાટીદાર સમાજનો મોટો ચેહરો આપમાં જોડાય તેવી શક્યતા છે. 


ગુજરાતના જાણીતા લોકગાયક આમ આદમી પાર્ટીમાં જોડાયા, જાણો વધુ વિગતો


અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દિધી છે. આજે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાનની હાજરીમાં જાણીતા કલાકાર વિજય સુવાળા આપમાં સામેલ થયા છે. વિજય સુવાળાના ગુજરાતના અનેક લોકો ચાહે છે, તેમના ગીતો અને ભજનોથી લઈને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ હીટ છે. તેઓ ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં ખૂબ લોકચાહના ધરાવે છે. વિજય સુવાળા સંગીત અને ધર્મની સાથે જોડાયેલા છે અને તેમને અનુસરતા લોકોનો વર્ગ મોટો છે.  તેમના જોડાવાથી આમ આદમી પાર્ટીનો ફાયદો થઈ શકે છે. 


 


 


 


 


 









 


 


 


 


 


આમ આદમી પાર્ટીમાં પત્રકાર ઇસુદાન ગઢવીના જોડાયા બાદ પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડવામાં આવી રહ્યાં છે. આજે આમ આદમી પાર્ટીમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના સરપંચ તેમજ સર્વ સમાજ સેના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ જોડાયા છે. આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં નવયુવાનોને જોડવામાં આવી રહ્યા છે. આજે બંને યુવાનો આજે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમનું સ્વાગત કરીએ છીએ.  આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અમારો પ્રયત્ન રહેશે. 


 


ગાયક કલાકાર વિજય સુવાળાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ જેઓ જમીનથી જોડાયેલા છે અને લોકો સાથે જોડાયેલા છે. સમાજમાં દરેક વર્ગને સાથે રાખી ચાલનાર પાર્ટી સાથે આજે જોડાયો છું.


 


આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જોરશોરમાં ચાલી રહ્યું છે. પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. આ તકે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ તંત્રી ઈસુદાને આજે એક ટ્વીટ કર્યુ હતું, ઈસુદાને પોતાના ટ્વીટમાં લખ્યું, 'મિત્રો હવે રાહ શેની જુવો છો ,કરો આજે જ મિસ્ડ કોલ અને જોડાવો આમ આદમી પાર્ટી સાથે ..ગુજરાત ને ભષ્ટ્રાચાર મુક્ત બનાવવા આપણે સૌ એ પોતાની શક્તિ પ્રમાણે મહેનત કરવી પડશે .કરો કોલ 7070237070. પર'


 


આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આમદી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. 


 



Surat : AAPનો ભાજપને વળતો  જવાબઃ આપમાં જોડાયેલા યુવાનો ભાજપના જ કાર્યકરો હોવાના પુરાયા કર્યા જાહેર

સુરત : ભાજપે આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયેલા કાર્યકરો ભાજપના ન હોવાનો ખુલાસો કરતા આપએ વળતો જવાબ આપ્યો છે. આપમાં જોડાયેલા કાર્યકર્તા ભાજપના જ કાર્યકર્તા હોવાની રસીદો જાહેર કરી છે. આપમાં જોડાયેલા કાર્યકરો ભાજપના જ હોવાના પુરાવા સમાન રસીદ જાહેર કરી છે. 


સુરતમાં આપમાં જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓએ સભ્યપદની રસીદ જાહેર કરી હતી. સુરતમાં ભાજપને તિલાંજલિ આપી કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાં હોવાની સમયાંતરે તેજ બનેલી ગતિવિધીને પગલે ભાજપે ખુલાસા કરવા પડ્યા હતા.  પ્રેસ કોન્ફરન્સ યોજી આપને પડકાર ફેંક્યો હતો કે, જે કાર્યકર્તાઓ જોડાયાનો દાવો કરો છો તે ભાજપના પ્રાથમિક સભાસદ હોવાના પુરાવા જાહેર કરો. 


આ પડકાર પછી ભાજપમાંથી આપમાં જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના સભ્યપદની રસીદો જાહેર કરી હતી. ભાજપમાંથી આપમાં જોડાયેલા વિપુલ સખીયાએ પુરાવા આપ્યા હતા. ભાજપમાં મહામંત્રીના પદ ઉપર રહેલા વિપુલ સખીયાએ જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક કામ કરતો હતો. પરંતુ જે રીતે ભાજપના કેટલાક નેતાઓ કે જે પોતાની આસપાસ રહેતા અને ચમચાગીરી કરતા હોય તેવા જ કાર્યકર્તાઓને આગળ લાવવા માટેનું કામ કરે છે. જે જોઈને હું ખરેખર દુઃખી હતો.


પાર્ટીમાં ઓછા સમયથી આવેલા યુવા નેતાઓને પણ મોટા હોદ્દાઓ અને જવાબદારી આપવાનું ષડયંત્ર ભાજપના કેટલાક કદાવર નેતાઓ કરે છે.  તે માત્ર પોતાની લોબી મજબૂત બનાવવા માટે આ પ્રકારે સંગઠનમાં ખેલ કરે છે.  જે ભાજપ રાજકીય સંગઠન માટે આદર્શ ગણાતી હતી તે હવે માત્ર સત્તા લાલસા પૂરતી સીમિત રહી ગઈ છે. આપમાં જોડાયા તે ભાજપના કાર્યક્રમોમાં હાજર રહ્યા હોવાના પુરાવ આપ્યા.