SURAT : ભારતના ચૂંટણી પંચ દ્વારા 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022' જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.1-10-2022 ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે તા.12-08-2022ના રોજથી તા.11-09-2022 સુધી એક મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકકદાવાઓ રજુ કરી શકશે. આ ઝુંબેશ સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.


સુરત જિલ્લા કલેક્ટરે  જણાવ્યું કે, શહેર-જિલ્લામાં ફોટા વાળી મતદારયાદી સુધારણા અંતર્ગત તા.12-08-2022 થી તા.11-09-2022 ના એક મહિનાના સમયગાળા દરમિયાન લોકો મતદારયાદીમાં નામોની નોંધણી કે સુધારા વધારા કરી શકાશે. ખાસ ઝુંબેશરૂપે તા.21-08-2022 અને તા.28-08-2022 (રવિવાર) તેમજ તા.04-09-2022 અને તા.11-09-2022 (રવિવાર)ના રોજ સવારે 10 થી સાંજે 5  વાગ્યા મતદારયાદી સુધારણા હેઠળ BLO  જે તે મતદાન મથકે ઉપસ્થિત રહેશે.


એક મહિના દરમિયાન ચાલનાર મતદારયાદી સુધારણા હેઠળ 18વર્ષની ઉંમર પૂર્ણ કરનાર યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં. 8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત ચાર રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામનોંધણી અને સુધારા કરાવી શકશે. તા.10-10-2022(સોમવાર)ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થશે. 


કલેક્ટરે  વધુમાં ઉમેર્યું કે, વિશિષ્ટ આયોજનના ભાગરૂપે સુરત શહેર તથા જિલ્લાની તમામ કોલેજોમાં યુવા મતદારોની નોંધણી માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવો.