તેમના પર ડીંડોલી-સણીયા રોડ પર અને મધુવન ફાર્મ પાસે ગૌચરની જમીન પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. સરપંચ સાથે દાદાગીરી કર્યાનો પણ આરોપ છે.
Surat News: સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રોની દાદાગીરી, ડિંડોલીમાં બંને પુત્રોએ દબાણ કર્યું હોવાનો આરોપ
Surat News: સુરતમાં નવનિયુક્ત ડે.મેયર સુધાકર ચૌધરી વિવાદમાં આવ્યા છે. સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રો પર રોડ પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે.

- સુરતમાં ડે.મેયરના પુત્રો પર ગૌચર જમીન દબાણનો આરોપ.
- સરપંચ દબાણ હટાવવા જતાં, પુત્રોએ દાદાગીરી કરી વિવાદ.
- આ ઘટનાનો વીડિયો વાયરલ થયો, પોલીસ દખલગીરીથી શાંતિ.
- ડે.મેયરે આરોપો નકાર્યા, ભાડે લીધેલી જમીનનો ઉલ્લેખ કર્યો.
Surat News: સુરતમાં નવનિયુક્ત ડે.મેયર સુધાકર ચૌધરી વિવાદમાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, સુરતના ડેપ્યૂટી મેયર સુધાકર ચૌધરીના બે પુત્રો પર રોડ પર દબાણ કરવાનો આરોપ લાગ્યો છે. અતુલ અને રાહુલ સુધાકર ચૌધરી પર ડીંડોલી-સણીયા રોડ પર દબાણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. સણીયાના ગ્રામજનોએ સરપંચ જસપાલ સોલંકીને આ મામલે ફરિયાદ કરી હતી. બુલડોઝર લઈ દબાણ દૂર કરવા જતા સરપંચ જસપાલ સોલંકી સાથે ડે.મેયરના પુત્રોએ દાદાગીરી કર્યાનો આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મધુવન ફાર્મ પાસે ગૌચરની જમીન પર દબાણ કરવાનો તેમના પર આરોપ લાગ્યો છે. ડે.મેયરના પુત્રોએ દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો.
સરપંચ જસપાલ સોલંકી બુલડોઝર લઇ દબાણ દૂર કરવા જતા તેમની સાથે ડેપ્યુટી મેયરના પુત્રોએ દાદાગીરી કરી હતી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જમીનના માલિકી હક્ક અને દસ્તાવેજોને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે.
સરપંચ જસપાલ સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે ગામની મંજૂરી વગર દબાણ કર્યું છે. રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરીએ દાદાગીરી કરી હતી. દબાણ દૂર કરવા 20 દિવસથી રજૂઆત કરતા હતા. ગામના લોકોએ કહ્યું કે ગૌચરની જમીન પર ડે.મેયરના પુત્રોએ દબાણ કર્યું છે. પાઈપો નાખી માટી પુરાણ કર્યું હતું.
આ પણ વાંચોઃ Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
ડે.મેયરે તમામ આરોપોને ફગાવ્યા
બીજી તરફ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ તમામ આરોપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મારા પુત્રએ ખેડૂત પાસેથી જમીન ભાડે રાખી છે. કોઈ ગૌચરની જમીન પર દબાણ કર્યું નથી. દબાણ હટાવવામાં અમે પણ સહમત છીએ. પાંચ વર્ષ માટે પાર્ટી પ્લોટ માટે જગ્યા ભાડે લીધી છે. ગૌચરની જગ્યા પર દબાણ નથી કર્યું. અમે પાર્ટી પ્લોટ ભાડે લીધો ત્યારે રસ્તો હતો.
Frequently Asked Questions
સુરતના ડેપ્યુટી મેયરના પુત્રો પર શાનો આરોપ લાગ્યો છે?
સરપંચ જસપાલ સોલંકીએ શું કાર્યવાહી કરી?
સણીયાના ગ્રામજનોની ફરિયાદ બાદ, સરપંચ જસપાલ સોલંકી બુલડોઝર લઈ દબાણ દૂર કરવા ગયા હતા. ડે.મેયરના પુત્રોએ તેમની સાથે દાદાગીરી કરી હતી.
ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ આરોપો અંગે શું કહ્યું?
તેમણે તમામ આરોપોને નકાર્યા છે. તેમણે કહ્યું કે પુત્રોએ ખેડૂત પાસેથી જમીન ભાડે લીધી છે અને કોઈ ગૌચરની જમીન પર દબાણ કર્યું નથી.
આ ઘટના બાદ કયા પક્ષો વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું?
સરપંચ જસપાલ સોલંકી અને ડેપ્યુટી મેયરના પુત્રો અતુલ અને રાહુલ ચૌધરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરી હતી.






















