વડોદરાઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને શહેરમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા ડીસઈન્ફેક્શનની કામગીરી પર પ્રતિબંધ લગાવી દીધો છે.


આ જાહેરનામાને કારણે હવે જીવાણુઓ અથવા હાનિકારક સુક્ષ્મજીવોના નાશ માટે વપરાતી દવાનો છંટકાવ નહી કરી શકાય. આવી દવાના છંટકાવથી શારીરિક અને માનસિક હાની થતી હોવાથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 7 સપ્ટેમ્બરે સુપ્રિમ કોર્ટે પણ આદેશ કર્યો હતો.