West Bengal:બંગાળી ટેલિ ફિલ્મ અભિનેત્રી સુચન્દ્રા દાસગુપ્તાનું પશ્ચિમ બંગાળના બારાનગરમાં રોડ અકસ્માતમાં નિધન થયું છે.  તેમના નિધનથી ટોલીવુડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના બારાનગરમાં એક ટેલિ અભિનેત્રીનું  રોડ અકસ્માતમાં નિધન થયું છે.  મૃતકનું નામ સુચન્દ્ર દાસગુપ્તા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સુચન્દ્ર દાસગુપ્તા શનિવારે રાત્રે  બાઇક પર શૂટિંગ કરીને ઘરે પરત ફરી રહ્યી હતી. બારાનગર પોલીસ સ્ટેશનના ઘોષપાડા પાસે એક  ટ્રકે તેમની બાઇકને ટક્કર મારતા  તેમને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.  


આ ઘટનાને લઈને બારાનગર ઘોષપાડા વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. બારાનગર પોલીસ સ્ટેશનની પોલીસે ટ્રક ડ્રાઇવરની  ધરપકડ કરી લીધી છે.પોલીસ ઘટનાનો ચોક્કસ સમય સમજવા માટે વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ઓફલાઈન બુક કરેલી બાઇકના ડ્રાઈવર સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યી છે.


ઘટના અંગે સ્થાનિક રહેવાસી સમીર પાલે જણાવ્યું કે, અભિનેત્રીએ બાઇકનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું સિગ્નલ પાસે અચાનક બાઇક સામે ટ્રક આવી જતાં બાઇકર્સે બ્રેક મારી હતી જેના કારણએ અભિનેત્રી નીચે પટકાઇ હતી અને ટ્રક તેના પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું


સુચન્દ્રા દાસગુપ્તા ટીવી સિરિયલોનો જાણીતો ચહેરો છે. દરરોજની જેમ ગઈકાલે રાત્રે પણ તે શૂટિંગ કરીને પરત ફરી રહી હતી. તે દિવસ તેમને ઓનલાઇન કારના બદલે બાઇક બુક કરાવી અને બાઇક અને ટ્રકના અકસ્માતમાં એક્ટ્રેસે જીવ ગુમાવ્યો


સુચન્દ્રા દાસગુપ્તાએ 'ગૌરી' ટેલિવિઝન સિરિયલથી ઘણી ખ્યાતિ મેળવી હતી.સુચન્દ્રા દાસગુપ્તા નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી હતી.  બંગાળી સીરિયલ 'ગૌરી'માં સહ-અભિનેત્રી તરીકે કામ કરતી હતી. સુચન્દ્ર દાસને આ સીરિયલથી ઘણી લોકપ્રિયતા મળી હતી અને તેને મોટો ચાહક વર્ગ પણ મળ્યો.


સુચંદ્ર દાસે ટેલિવિઝન જગતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  તેમના નિધનથી બંગાળની ટેલીવુડ ઈન્ડસ્ટ્રીને પૂર્તિ ન થઇ શકે તેવી ક્ષતિ પહોંચી છે. સુચંન્દ્રના નિધનથી બંગાળી ટેલિવૂડ અને તેમના પરિવાર સાથે ચાહક વર્ગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


Dilip Joshi : દિલીપ જોશી કેવી રીતે 16 કિલો વજન ઘટાડી રાતોરાત બની ગયા 'જેઠાલાલ'?


Dilip Joshi On Weight Loss : ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દિલીપ જોશીએ જેઠાલાલના પાત્રથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તે છેલ્લા ઘણા સમયથી તેમના શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા તેમના ચાહકોનું મનોરંજન કરી રહ્યાં છે. આ શો પહેલા દિલીપ જોશી પણ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પરંતુ તેમને ઘર ઘરમાં જાણીતા તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ જ બનાવ્યા છે. હવે અભિનેતાએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે કે, તેમણે રાતો રાત કેવી રીતે એક જ મૂવીમાં પોતાના રોલ માટે વજન ઘટાડ્યુ હતું. 


ફિલ્મમાં રોલ માટે વજન ઓછું કરવું પડ્યું હતું


Mashable India સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ કહ્યું હતું કે, મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી. તેનું શીર્ષક 'હું હુંશી હુંશીલાલ' હતું. તે એક ફેસ્ટિવલ ટાઇપની ફિલ્મ હતી, જેમાં 35-36 ગીતો હતા. તે રાજકીય વ્યંગ્ય પ્રકારની ફિલ્મ હતી. ફિલ્મના રોલ માટે મારે મારું વજન ઘટાડવું પડ્યું હતું.


આ રીતે દિલીપ જોશીએ પોતાનું વજન ઘટાડ્યું









દિલીપ જોષી ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામ 


દિલીપ જોશીએ એ પણ જણાવ્યું હતું કે, એક્ટર બનતા પહેલા પાંચ વર્ષ સુધી ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું હતું. આ કામ તેમણે વર્ષ 1985 થી 1990 દરમિયાન કર્યું હતું. જાહેર છે કે, 'હું હુંશી હુંશીલાલ' એક ગુજરાતી રાજકીય વ્યંગ્ય ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશી ઉપરાંત રેણુકા શહાણે, મનોજ જોશી અને મોહન ગોખલે જેવા સ્ટાર્સે કામ કર્યું હતું.