India Pakistan tensions: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો શ્રેય લેતા હોય, પરંતુ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારના તાજેતરના નિવેદને આખી બાજી પલટી નાખી છે. ઓપરેશન સિંદૂર (Operation Sindur) બાદ પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ હતી અને તેણે સામે ચાલીને શસ્ત્રવિરામની અપીલ કરી હતી. ઈશાક ડારે સ્વીકાર્યું છે કે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી (Mediation) નહોતી, પરંતુ નુકસાનને કારણે પાકિસ્તાને પોતે જ પીછેહઠ કરી હતી. જાણો, ડારના વિરોધાભાસી નિવેદનો અને યુદ્ધના મેદાનનું સત્ય.

Continues below advertisement

ડોનાલ્ડ ટ્રમ્પના દાવા સામે પ્રશ્નાર્થ અને પાકિસ્તાનની કબૂલાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અવારનવાર વિવિધ મંચ પરથી દાવો કરતા આવ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભયાનક યુદ્ધને તેમણે અટકાવ્યું હતું અને યુદ્ધવિરામ (Ceasefire) કરાવ્યો હતો. જોકે, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારના તાજેતરના નિવેદને ટ્રમ્પના આ દાવાની હવા કાઢી નાખી છે. ડારે સ્પષ્ટ કર્યું છે કે ઈસ્લામાબાદે ક્યારેય કોઈ દેશ પાસે મધ્યસ્થીની ભીખ માંગી નથી. આ નિવેદન ટ્રમ્પ માટે આંચકાજનક હોઈ શકે છે, કારણ કે ભારત પહેલેથી જ કાશ્મીર સહિતના મુદ્દાઓને દ્વિપક્ષીય (Bilateral Matter) ગણાવીને ત્રીજા પક્ષની દખલગીરીને નકારતું આવ્યું છે.

Continues below advertisement

ઓપરેશન સિંદૂર (Operation Sindur) અને પાકિસ્તાનની લાચારી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈશાક ડારે સ્વીકાર્યું છે કે ભારતીય સેનાના જડબાતોડ જવાબ બાદ પાકિસ્તાનને ભારે ખુવારી વેઠવી પડી હતી. ઓગસ્ટ મહિનામાં ડારે કહ્યું હતું કે નુકસાન એટલું ગંભીર હતું કે પાકિસ્તાને શસ્ત્રો હેઠા મૂકીને યુદ્ધવિરામને પ્રાથમિકતા આપવી પડી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું, "ઓપરેશન સિંદૂર દરમિયાન અમે અમેરિકા કે અન્ય કોઈને ભારત સાથે વાત કરવા વિનંતી કરી નહોતી. ભારતીય પ્રહારોથી થયેલા નુકસાન બાદ પાકિસ્તાને સ્વયં યુદ્ધવિરામ (Ceasefire Request) માટે પહેલ કરી હતી."

માર્કો રુબિયો સાથેનો ફોન કોલ અને ડારના વિરોધાભાસી નિવેદનો

પાકિસ્તાની નેતાઓ પોતાની વાત પર કાયમ રહેવા માટે જાણીતા નથી, અને ઈશાક ડાર પણ તેમાં અપવાદ નથી. એક જ મુદ્દા પર તેમણે 3 અલગ-અલગ નિવેદનો આપીને પોતાની જ વિશ્વસનીયતા (Credibility) સામે પ્રશ્નો ઉભા કર્યા છે:

  1. પહેલા તેમણે કહ્યું કે મધ્યસ્થી માટે કોઈને કહ્યું નથી.
  2. ત્યારબાદ સપ્ટેમ્બરમાં સ્વીકાર્યું કે ભારત કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે તૈયાર નથી.
  3. હવે શનિવારે તેમણે નવો રાગ આલાપતા કહ્યું કે, "10 મેના રોજ સવારે 8:17 વાગ્યે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો (Marco Rubio) નો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત યુદ્ધવિરામ માટે તૈયાર છે, શું તમે તૈયાર છો?" જેના જવાબમાં ડારે કહ્યું હતું કે અમે તો ક્યારેય યુદ્ધ ઈચ્છતા જ નહોતા.

જોકે, ખુદ રુબિયોએ 25 જુલાઈના રોજ સ્પષ્ટ કર્યું હતું કે ભારતે મધ્યસ્થીની ભૂમિકાનો સાફ ઈનકાર કરી દીધો છે. આ વિરોધાભાસ દર્શાવે છે કે પાકિસ્તાની નેતૃત્વ જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ભારતીય વાયુસેના (IAF) નો પ્રહાર: એરબેઝ થયા હતા તબાહ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે શરૂ કરેલા 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનને જે નુકસાન થયું, તે જ યુદ્ધવિરામનું સાચું કારણ હતું. ભારતીય મિસાઈલ હુમલાઓમાં પાકિસ્તાનના મહત્વના એરબેઝ (Airbases) જેવા કે નૂર ખાન, રહીમ યાર ખાન, મુરીદકે, ભોલારી અને સરગોધા ધ્વસ્ત થઈ ગયા હતા. આ ઉપરાંત, પાકિસ્તાન એરફોર્સની કરોડરજ્જુ સમાન ગણાતા એરબોર્ન અર્લી વોર્નિંગ (AEW) અને ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ (EI) પ્લેટફોર્મ પણ નાશ પામ્યા હતા. આ તબાહીએ જ પાકિસ્તાનને ઘૂંટણીયે પડવા મજબૂર કર્યું હતું.