US-Israel Iran Attack: ખામેનીના મૃત્યુ બાદ પાકિસ્તાનમાં અરાજકતા! અમેરિકી દૂતાવાસ પર હુમલો, 8 લોકોના મોત
US-Israel Iran Attack: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુના સમાચાર બાદ, કરાચીમાં યુએસ કોન્સ્યુલેટની બહાર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. પોલીસે પ્રદર્શન દરમિયાન ટીયર ગેસનો ઉપયોગ કર્યો.

US-Israel Iran Attack: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના નિધન બાદ પાકિસ્તાનના કરાચી શહેરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન જોવા મળ્યા છે. અહેવાલો મુજબ, પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ (US Consulate) ની બહાર એકઠા થયા હતા અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી. મળતી માહિતી મુજબ, માઈ કોલાચીથી સુલ્તાનાબાદ જવા અને આવવાના બંને રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓ કથિત રીતે US કોન્સ્યુલેટ પરિસરની અંદર ઘૂસી ગયા હતા અને ત્યાં તોડફોડ કરી હતી. આ હિંસા દરમિયાન 8 લોકોના મોત થયા છે.
#WATCH | कराची में अमेरिकी दूतावास पर हमला, हिंसा और बवाल में 8 लोगों की मौत@romanaisarkhan | @AartiTikoohttps://t.co/smwhXUROiK #Israel #IsraelIranConflict #DonaldTrump #Pakistan #Karachi #ShiaCommunityProtest #AmericanEmbassy #WarAlertOnABP pic.twitter.com/480qdR5aFB
— ABP News (@ABPNews) March 1, 2026
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સમા ટીવીના અહેવાલ મુજબ, પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે અશ્રુ ગેસના ગોળા (શેલિંગ) છોડ્યા હતા અને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંદી કરી દીધી છે અને વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ સંવેદનશીલ બનેલી છે અને અધિકારીઓએ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. સમગ્ર ઘટનાક્રમ પર સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ નજર રાખી રહી છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ, ખાસ કરીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા ટકરાવની અસર હવે દક્ષિણ એશિયામાં પણ અનુભવાઈ રહી છે. આ પ્રકારના વિરોધ પ્રદર્શનો અનેક સ્તરે અસર કરી શકે છે. સૌથી પહેલા, આનાથી દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો પ્રભાવિત થઈ શકે છે, કારણ કે દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ કોઈપણ દેશની સત્તાવાર હાજરીનું પ્રતીક હોય છે. બીજું, આવી પરિસ્થિતિ સુરક્ષા વ્યવસ્થાને વધુ મુશ્કેલ બનાવી શકે છે. સ્થાનિક વહીવટીતંત્રને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના સંસાધનો લગાવવાની જરૂર પડશે. ત્રીજું, આંતરરાષ્ટ્રીય મિશન અને વિદેશી નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી જશે, જેના કારણે વૈશ્વિક સ્તરે પણ પ્રતિક્રિયા જોવા મળી શકે છે. નોંધનિય છે કે, ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધી શકે છે.























