અમદાવાદ: નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2020 07:56 AM (IST)
1
ખાનગી કંપનીની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ થી સાત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે બસમાં રહેલા કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા.
2
અમદાવાદઃ શિયાળાના ધૂમ્મસની સાથે અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. શહેરના નારોલમાં આજે સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
3
ઘાયલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત કઇ રીતે સર્જાયો તેની તપાસ શરૂ કરવામાં આવી છે.