અમિત શાહ-હિંદુ દેવ-દેવીઓ વિશે અભદ્ર કોમેન્ટ કરી જેલભેગો થનારો ગુજરાતી કોમેડિયન મુનાવર ફારૂકી કોણ છે ? શાના માટે છે જાણીતો ?

તમામ તસવીર સૌજન્યઃ મુનાવર ફારૂકી ઈન્સ્ટાગ્રામ
મુનવ્વર વીડિયોમાં તે કહે છે કે, “મેરા પિયા ઘર આયા આ રામજી, રામજી ડોંટ ગિવ અફ.... અબાઉટ પિયા. યહ સુનકર રામજી કહતે હે મૈ ખુદ ચૌદ સાલ સે ઘર નહીં ગયા. અગર સીતાને સુન લિયા તો શક કરેગી, સીતા કો તો માધુરી પે પહલે સે હી શક હૈ. વો ગાના હૈ તેરા કરું ગિન-ગિન ઈંતજાર, ઉસે લગ રહા હૈ વનવાસ ગિન રહી હૈ, 14 પર આકર રુક ગઈ.”
ભગવાન રામથી લઈ ગોધરા કાંડ સુધીની તે મજાક ઉડાવી ચુક્યો છે. જેના કારણે તેના પર પહેલા જ મામલા નોંધાઈ ચુક્યા છે. ફારુકીની ધરપકડ થયા બાદ એક વીડિયો ટ્વિટર પર ટ્રેન્ડ થયો છે. જેમાં તે ભગવાન રામ અને સીતા વિશે અભદ્ર ટિપ્પણી કરતો નજરે પડે છે.
બુક માય શોમાં તેની પ્રોફાઇલ મુજબ, મુનાવર મુસ્લિમ સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તે ગુજરાતમાં જન્મયો અને ઉછર્યો છે અને હાલ મુબઈમા રહે છે. તે સ્થાનિક સ્તરે યોજાયેલી ઘણી સ્પર્ધામાં વિજેતા રહી ચુક્યો છે. Scoopwhoop ના એક આર્ટિકલમાં તેને નંબર વન કોમેડિયન જાહેર કરાયો હતો, જ્યારે Buzzfeed ના ટોપ-10 કોમેડિયનમાં પણ તે સ્થાન પામ્યો હતો.
સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકી ગુજરાતના જુનાગઢનો રહેવાસી છે. મુંબઈમાં કોમડિ શો કરતો ફારુકી તેમના શોમાં વારંવાર હિન્દુ દેવી દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરતો રહે છે.
મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન હિન્દુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મજાક ઉડાવી વિરૂધ્ધ કહેવાતી અણછાજતી અને અપમાનજનક ટીપ્પણી કરવા બદલ પાંચ સ્ટેન્ડ અપ કોમેડિયનની ધરપકડ કરાઈ છે. આ કોમેડિયન્સમાં ગુજરાતના સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકીનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મુનાવર ફારૂક ઉપરાંત એડવિન એન્થની, પ્રખર વ્યાસ, પ્રિયમ વ્યાસ અને નલિન યાદવની ધરપકડ કરાઈ છે.