શોધખોળ કરો
અક્ષય તૃતીયા પર સોની બજારમાં રોનક, 9 કેરેટના દાગીનાની ભારે ડિમાન્ડ, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ
હિન્દુ ધર્મમાં 'વણજોયા મુહૂર્ત' ગણાતા અક્ષય તૃતીયાના પર્વે સોના-ચાંદીના ભાવ આસમાને હોવા છતાં લોકો શુકન સાચવવા બજારમાં ઉમટી રહ્યા છે. મોંઘવારી વચ્ચે 9 કેરેટ સોનાના વિકલ્પે ગ્રાહકોને મોટી રાહત આપી છે.
આજે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર છે, અને મોંઘવારી હોવા છતાં દેશભરના સોની બજારોમાં ખરીદદારોની ભારે ભીડ અને રોનક જોવા મળી રહી છે. અત્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.54 લાખથી 1.60 લાખની આસપાસ પહોંચી ગયો છે, જ્યારે ચાંદીનો ભાવ પણ 2.55 લાખથી 2.58 લાખ પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે.
1/5

આમ છતાં, તહેવારનું શુકન સાચવવા માટે લોકો બજારમાં ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે 22 કેરેટ સોનાના ઊંચા ભાવને કારણે ગ્રાહકોમાં 9 કેરેટ સોનાના દાગીનાનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. સાથોસાથ, જ્વેલર્સે પણ ગ્રાહકોને આકર્ષવા માટે મેકિંગ ચાર્જમાં ઘટાડો અને જૂના સોના પર 100% એક્સચેન્જ વેલ્યુ જેવી શાનદાર ઓફર્સ મૂકીને બજારનો માહોલ ગરમ કરી દીધો છે.
2/5

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાને સોના-ચાંદીની ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ અને 'વણજોયું મુહૂર્ત' માનવામાં આવે છે. એવી જૂની માન્યતા છે કે આજના દિવસે ખરીદવામાં આવેલી કિંમતી ધાતુઓમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને તેનો ક્યારેય ક્ષય થતો નથી. આ જ પરંપરાને જીવંત રાખવા માટે લોકો આજના દિવસે પોતાની ક્ષમતા મુજબ સોના-ચાંદીની નાની-મોટી ચીજવસ્તુઓની ખરીદી કરવાનું ચૂકતા નથી. ભાવો આસમાને હોવા છતાં, તહેવારનો ઉત્સાહ અને આસ્થા મોંઘવારી પર ભારે પડી રહ્યા છે.
Published at : 19 Apr 2026 04:09 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















