શોધખોળ કરો
શું તમારા પૈસા પણ બેંક કે વીમા કંપનીમાં અટવાયા છે? ઘરે બેઠા આ રીતે પરત મેળવો હજારો રૂપિયા, જાણો પ્રોસેસ
દેશની વિવિધ સંસ્થાઓમાં કરોડો રૂપિયા 'અનક્લેમ્ડ' પડ્યા છે, સરકારની અપીલ બાદ હવે આ સરળ રીત અપનાવીને તમારું જૂનું ફંડ ક્લેમ કરો.
ઘણા લોકો પોતાની અને પરિવારની આર્થિક સુરક્ષા માટે જીવનભરની મહેનતની કમાણી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ કે વીમા પોલિસીમાં રોકે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે સમય જતા દસ્તાવેજો ખોવાઈ જવાને કારણે, સરનામું બદલાવાને કારણે કે પછી ખાતું લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવાને કારણે આ પૈસા વિસરાઈ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશની વિવિધ નાણાકીય સંસ્થાઓમાં હાલ હજારો કરોડ રૂપિયા 'દાવા વગરના' (Unclaimed) પડ્યા છે, જેના કોઈ લેવાલ નથી. જો તમારા અથવા તમારા પરિવારના કોઈ સભ્યના પૈસા પણ આ રીતે અટવાયેલા હોય, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઈ અને સેબીએ આ રકમ મૂળ માલિકો સુધી પહોંચાડવા માટે ખાસ પોર્ટલ અને સરળ પ્રક્રિયાઓ શરૂ કરી છે.
1/6

સરકારી આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ ખરેખર ચોંકાવનારી છે. લોકોની સામાન્ય બેદરકારી કે પૂરતી જાણકારીના અભાવે જંગી રકમ નાણાકીય સંસ્થાઓમાં ધૂળ ખાઈ રહી છે. અંદાજ મુજબ, બેંકોમાં આશરે ₹૭૮,૦૦૦ કરોડ, વીમા કંપનીઓમાં ₹૧૪,૦૦૦ કરોડ, મ્યુચ્યુઅલ ફંડમાં ₹૩,૦૦૦ કરોડ અને શેર ડિવિડન્ડ સ્વરૂપે ₹૯,૦૦૦ કરોડ જેટલી રકમ અનક્લેમ્ડ પડી છે. આ એવા પૈસા છે જેના માલિકો તેને ભૂલી ગયા છે અથવા તો કોઈ કારણસર ક્લેમ કરી શક્યા નથી. હવે તમે ટેકનોલોજીની મદદથી ઘરે બેઠા આ રકમની ભાળ મેળવી શકો છો અને તેને પરત પણ મેળવી શકો છો.
2/6

સૌ પ્રથમ બેંકમાં પડેલા જૂના પૈસાની વાત કરીએ તો, જો કોઈ બેંક ખાતામાં ૧૦ વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ લેવડદેવડ ન થાય, તો તે રકમ આરબીઆઈના 'DEA ફંડ'માં ટ્રાન્સફર થાય છે. આ રકમ શોધવા માટે રિઝર્વ બેંકે 'UDGAM' (ઉદગમ) નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. તમારે આ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ, પાન કાર્ડ કે આધાર નંબર નાખીને સર્ચ કરવાથી, જો કોઈ જૂનું ખાતું હશે તો તેની વિગતો મળી જશે. એકવાર ખાતાની ભાળ મળી જાય, પછી તમારે સંબંધિત બેંક શાખામાં જઈને કેવાયસી (KYC) દસ્તાવેજો આપીને રકમનો દાવો કરવાનો રહેશે.
Published at : 10 Dec 2025 06:19 PM (IST)
આગળ જુઓ
Advertisement





















