ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણ ભરશે? શું પરિવાર પર આવશે જવાબદારી? જાણો RBI ના નિયમો
શું બેંક પત્ની કે બાળકો પાસે બળજબરીથી વસૂલાત કરી શકે? જાણો અસુરક્ષિત લોન ના કાયદા અને વારસદારોને મળતી કાનૂની રાહત વિશે.
Continues below advertisement
Credit Card Dues After Death: વર્તમાન સમયમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) એ દરેક વ્યક્તિના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. શોપિંગ હોય કે મેડિકલ ઈમરજન્સી, ક્રેડિટ કાર્ડ હંમેશા આર્થિક મદદ પૂરી પાડે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક ડર અને મૂંઝવણ હંમેશા રહેતી હોય છે: "જો ક્રેડિટ કાર્ડ ધારકનું અચાનક મૃત્યુ થાય, તો પાછળ રહી ગયેલા લાખો રૂપિયાના બિલનું શું થાય?" શું બેંકો પરિવારના સભ્યોને હેરાન કરી શકે?
Continues below advertisement
1/6
ઘણા લોકો માને છે કે પરિવારના સભ્યોએ આ દેવું ચૂકવવું પડે છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમો આ બાબતે ખૂબ જ સ્પષ્ટ છે. ચાલો સરળ શબ્દોમાં સમજીએ કે કાયદો શું કહે છે.
2/6
સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે બેંકિંગ પરિભાષામાં ક્રેડિટ કાર્ડને 'અસુરક્ષિત લોન' ગણવામાં આવે છે. હોમ લોન કે કાર લોનથી વિપરીત, અહીં ગ્રાહકે બેંક પાસે કોઈ મિલકત કે સોનું ગિરવે મૂક્યું હોતું નથી. બેંક માત્ર ગ્રાહકના ક્રેડિટ સ્કોર (Credit Score) અને આવકના આધારે કાર્ડ આપે છે.
3/6
RBI ના નિયમો અનુસાર, અસુરક્ષિત લોનની જવાબદારી માત્ર જે-તે વ્યક્તિ પૂરતી સીમિત હોય છે. આનો સીધો અર્થ એ છે કે કાર્ડધારકના મૃત્યુ પછી, બેંક તેના પરિવારજનો (પત્ની, બાળકો કે માતા-પિતા) ને તેમની વ્યક્તિગત કમાણી (Personal Income) માંથી બિલ ભરવા માટે દબાણ કરી શકતી નથી. કાયદાકીય રીતે વારસદારો પોતાના ખિસ્સામાંથી આ રકમ ચૂકવવા બંધાયેલા નથી.
4/6
ના, દેવું આપમેળે ગાયબ થતું નથી. બેંક પાસે વસૂલાતનો બીજો રસ્તો ખુલ્લો હોય છે. નિયમ મુજબ, બેંક મૃતક વ્યક્તિની પાછળ રહેલી સંપત્તિ (Estate) માંથી પોતાનું લેણું વસૂલ કરી શકે છે. જો મૃતકના નામે કોઈ બેંક બેલેન્સ, ફિક્સ્ડ ડિપોઝિટ (FD), શેરબજારમાં રોકાણ, સોનું કે અન્ય પ્રોપર્ટી હોય, તો બેંક કાયદાકીય પ્રક્રિયા કરીને તેમાંથી બાકી રકમનો દાવો કરી શકે છે.
5/6
આ સમજવું ખૂબ મહત્વનું છે. કાનૂની વારસદાર (Legal Heir) ની જવાબદારી માત્ર ત્યાં સુધી જ હોય છે જેટલી સંપત્તિ તેમને વારસામાં મળી હોય.
Continues below advertisement
6/6
ઉદાહરણ તરીકે: ધારો કે મૃતકનું ક્રેડિટ કાર્ડ બિલ ₹7 લાખ બાકી છે. પરંતુ વારસામાં પરિવારને માત્ર ₹5 લાખ ની સંપત્તિ મળી છે. આ કિસ્સામાં, બેંક વારસદારો પાસેથી વધુમાં વધુ ₹5 લાખ જ વસૂલ કરી શકે છે. બાકીના ₹2 લાખ બેંકે નુકસાન ગણીને માફ કરવા પડે છે (Write-off). બેંક વધારાની રકમ માટે પરિવારની અંગત મિલકત પર ટાંચ મારી શકતી નથી.
Published at : 14 Jan 2026 07:18 PM (IST)
= 6">