શોધખોળ કરો
LPG યુઝર્સ માટે 30 દિવસનું અલ્ટીમેટમ! 1 જૂનથી બદલાયો આ મોટો નિયમ, વાંચો
સરકારનું 30 દિવસનું અલ્ટીમેટમ: ડ્યુઅલ કનેક્શન ધરાવતા ગ્રાહકોએ LPG બાટલો પાછો આપવો પડશે, કોમર્શિયલ ગેસના ભાવમાં પણ ઝીંકાયો વધારો.
જૂન મહિનાની શરૂઆત દેશની સામાન્ય જનતા માટે ગેસ સિલિન્ડરને લગતા કેટલાક મોટા અને મહત્વના ફેરફારો સાથે થઈ છે. તેલ કંપનીઓ દ્વારા 1 જૂનથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આ આર્થિક ફેરફારની સાથે જ સરકારે ગેસ કનેક્શનને લઈને એક નવો કડક નિયમ પણ દેશભરમાં લાગુ કરી દીધો છે. આ નવા નિયમ અંતર્ગત ઘરોમાં પાઇપલાઇન વાળો રાંધણ ગેસ એટલે કે PNG વાપરતા ગ્રાહકોને સરકાર તરફથી હવે માત્ર 30 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
1/6

સરકારના નવા આદેશ અનુસાર, જો તમારી પાસે PNG અને LPG એમ બંને પ્રકારના ગેસ કનેક્શન સક્રિય હશે, તો તમારે આગામી 30 દિવસની અંદર તમારો LPG સિલિન્ડર સત્તાવાર રીતે ગેસ એજન્સીમાં જમા કરાવવો પડશે. જો તમે આપેલા સમયગાળામાં આ નિયમનું પાલન નહીં કરો, તો સરકાર દ્વારા તમારું LPG કનેક્શન કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે. વાસ્તવમાં, દેશમાં પાઇપલાઇનથી આવતા નેચરલ ગેસ (PNG) ના કનેક્શન ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ તેની સામે લોકો પોતાનો જૂનો LPG સિલિન્ડર સરન્ડર કરી રહ્યા નથી.
2/6

તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં આશરે 650000 જેટલા નવા PNG કનેક્શન આપવામાં આવ્યા હોવા છતાં, મોટાભાગના ગ્રાહકોએ પોતાનો જૂનો ગેસનો બાટલો હજુ સુધી પાછો આપ્યો નથી. સરકારે પહેલા જ કાયદાકીય રીતે સ્પષ્ટ કર્યું હતું કે એક જ ઘરમાં બે સક્રિય ગેસ કનેક્શન રાખી શકાય નહીં. તેથી, 'ડ્યુઅલ કનેક્શન' ની આ સિસ્ટમનો કાયમી અંત લાવવા માટે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંકટ વચ્ચે દેશમાં ગેસનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે માટે પણ આ નિર્ણય ખૂબ જ જરૂરી બન્યો હતો.
Published at : 01 Jun 2026 05:53 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર






















