Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ભારત પ્રવાસ દરમિયાન વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. મેસ્સીએ અગાઉ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાત લીધી હતી.

ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત
1/5
વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ભારત પ્રવાસ દરમિયાન વન્યજીવન સંરક્ષણ કેન્દ્ર વનતારાની મુલાકાત લીધી હતી. વનતારા એ અનંત અંબાણી દ્વારા સ્થાપિત વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર છે. મેસ્સીએ અગાઉ કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાત લીધી હતી. વનતારામાં રમતગમત, કરુણા, પરંપરા અને પ્રકૃતિનું અનોખું મિશ્રણ જોવા મળ્યું હતું.
2/5
ભારતીય પરંપરાઓ અનુસાર મેસ્સીનું સ્વાગત કરવામાં આવ્યું. સનાતન ધર્મ પરંપરાને ધ્યાનમાં રાખીને, જે પ્રકૃતિ અને તમામ જીવંત પ્રાણીઓ માટે આદર રાખે છે, મેસ્સીએ મંદિરમાં પ્રાર્થના કરી અને આશીર્વાદ માંગ્યા હતા. તેમણે અંબે માતા , ભગવાન ગણેશજી, હનુમાનજીની પૂજા કરી અને શિવ અભિષેકમાં ભાગ લીધો હતો અને વિશ્વ શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરી હતી. આ અવસર પર મેસ્સી સાથે તેમના ઇન્ટર મિયામીના સાથી ખેલાડીઓ લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર હતા. ત્રણેય ખેલાડીઓનું સ્વાગત પરંપરાગત લોક સંગીત, ફૂલોની વર્ષા અને ભવ્ય આરતી સાથે કરવામાં આવ્યું. આ ઉષ્માભર્યા સ્વાગતથી મેસ્સી ખૂબ જ પ્રભાવિત થયા. ત્યારબાદ મેસ્સીએ વનતારાના વિશાળ સંરક્ષણ સંકુલની મુલાકાત લીધી.
3/5
તેમણે બિગ કેટ કેર સેન્ટરમાં સિંહ, દીપડા અને વાઘને નજીકથી જોયા, જ્યાં આ પ્રાણીઓની કુદરતી વાતાવરણમાં સંભાળ રાખવામાં આવે છે. તેમણે હર્બીવોર કેર સેન્ટર, રેપ્ટાઇલ કેર સેન્ટર અને મલ્ટી-સ્પેશિયાલિટી વાઇલ્ડલાઇફ હોસ્પિટલની પણ મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર અદ્યતન તબીબી સુવિધાઓ અને વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કરવામાં આવે છે. ત્યારબાદ તેમણે ઓકાપી, ગેંડા, જિરાફ અને હાથીઓને ખવડાવ્યું હતું.
4/5
અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ સિંહના બચ્ચાને "લિયોનેલ" નામ આપ્યું, જે મેસ્સીના સન્માનમાં ભાવનાત્મક અને પ્રતિકાત્મક ક્ષણ હતી. મુલાકાતની સૌથી ખાસ ક્ષણ એ હતી જ્યારે મેસ્સી એલિફન્ટ કેર સેન્ટરમાં બચાવેલા હાથી, "મનિકલાલ" સાથે ફૂટબોલ રમ્યો હતો. આ દ્રશ્ય દર્શાવે છે કે રમતગમતની ભાષા સરહદો પાર કરે છે. આ ક્ષણે હાજર દરેકના દિલ જીતી લીધા.
5/5
પોતાનો અનુભવ શેર કરતા મેસ્સીએ કહ્યું કે વનતારા ખાતે પ્રાણીઓ માટે કરવામાં આવી રહેલ કાર્ય સુંદર અને પ્રેરણાદાયક છે. તેમણે ફરીથી આવીને આ મિશનને ટેકો આપવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. મેસ્સીએ સ્પેનિશમાં જવાબ આપ્યો હતો કે , "વનતારા જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર સુંદર છે. તેઓ પ્રાણીઓ માટે જે કાર્ય કરે છે, તેમને જે સંભાળ મળે છે, તેમને જે રીતે બચાવવામાં આવે છે અને સંભાળ રાખવામાં આવે છે તે ખરેખર પ્રભાવશાળી છે. અમારો સમય ખૂબ જ સારો રહ્યો... આ એક એવો અનુભવ છે જેને અમે હંમેશા યાદ રાખીશું. આ અર્થપૂર્ણ કાર્યને પ્રેરણા આપવા અને ટેકો આપવા માટે અમે ચોક્કસપણે ફરીથી આવીશું."
Published at : 17 Dec 2025 09:55 AM (IST)