સ્વચ્છ ભારત અભિયાન માટે અનુષ્કા શર્માએ મુંબઈના વર્સોવા બીચની કરી સફાઈ
તેમણે તસવીરો સાથે મહાત્મા ગાંધીને કોટ કરતા લખ્યું કે, “કામ કરવાનો એક ઓંસ(અઠી તોલા) ટન ભરના ઉપદેશકથી વધારે મહત્વ રાખે છે- મહાત્મા ગાંધીજી. સ્વચ્છ ભારત.. સ્વચ્છતા એ જ સેવા”
મુંબઈ: સ્વચ્છ ભારત અભિયાનની એમ્બેસેડર તરીકે પસંદગી થયા બાદ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ દરિયા કિનારાને સાફ કરવા આ અભિયાન દ્વારા સમર્થન આપ્યું છે.
અનુષ્કાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા તસવીરો શેર કરી છે જેમાં તે મુંબઈના વર્સોવા બીચની સફાઈ કરતી નજર આવી રહી છે.
આ મહિનાની શરૂઆતમાં અનુષ્કાએ મોદી સરકારે ‘સ્વચ્છતા હી સેવા’ પહેલ માટે આમંત્રિત કર્યું હતું. જેના બાદ અનુષ્કાને આ અભિયાન સાથે જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તસ્વીરોમાં અનુષ્કા તેના કેટલાક સાથીઓ સાથે બીચની સફાઈ કરતી નજર આવી રહી છે.
અનુષ્કાએ ટ્વિટર પર શેર કરેલી તસવીરો પરથી સ્પષ્ટ નજર આવે છે કે સફાઈ પહેલા બીચની હાલત શું હતી અને સફાઈ બાદ કેવી થઈ ગઈ છે.