✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અલ્પેશ કથીરિયાની જામીન અરજી પર કોર્ટે શું લીધો નિર્ણય, જાણો વિગત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Sep 2018 01:38 PM (IST)
1

બીજી તરફ અલ્પેશના વકીલે દલીલ કરી હતી કે અલ્પેશ રાજ્યમાં 2015માં ફેલાયેલી હિંસા માટે જવાબદાર નથી. જે જે બનાવો પર સરકાર આધાર રાખે છે તે વખતે તે પોલીસના ડિટેન્શનમાં હતો પોતે કોઈ હિંસા ફેલાવી નથી. ક્રિમિનલ કોન્સપિરન્સીની સરકારની રજૂઆત પાયાવિહોણી છે. તે સિવાય અલ્પેશ ભાગેડુ નહોતો અને એ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો. સરકારે એ પણ પોતાની એફિડેવિટમાં એ ભાગેડુ હતો એવુ કીધુ નથી ફક્ત કાગળ પર જ તેને ભાગેડુ બતાવવામાં આવ્યો છે.

2

3

અમદાવાદઃ રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયાની જામીન અરજી પર સેશંસ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારે અલ્પેશ કરીથિયાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે અલ્પેશ સામે ચાર્જશીટ બાકી છે. તપાસ હજુ બાકી હોવાની સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારે દલીલ કરી હતી કે આ કેસના અન્ય આરોપીઓના પણ અંડરટેકિંગ સેશન્સ કોર્ટે નામંજૂર નહોતા કર્યા.

4

5

બીજી તરફ અલ્પેશ સામે પૂરતા પુરાવા હોવાથી જામીન નહીં આપવા માટે ક્રાઈમ બ્રાન્ચે સેશન્સ કોર્ટમાં એફિડેવીટ કરી છે. કથીરિયાને જામીન અપાય તો સાક્ષીઓને પોતાની તરફેણમાં કરી શકે તેમ છે અને ટ્રાયલ દરમ્યાન કોર્ટમાં હાજર નહીં રહે તેમ એફિડેવિટમાં જણાવાયું છે.તપાસનીશ અધિકારી જે.એસ.ગેડમે કોર્ટમાં એફિડેવીટ કરીને આ દાવો કર્યો છે. રાજદ્રોહના ગુનામાં ક્રાઈમ બ્રાંચે અલ્પેશ કથીરિયાની ત્રણ વર્ષ પછી ધરપકડ કરીને ગયા સપ્તાહે જેલમાં મોકલી આપ્યો હતો. અલ્પેશ કથીરિયાએ કાયમી જામીન માટે અરજી કરી હતી.

  • હોમ
  • Photos
  • અમદાવાદ
  • અલ્પેશ કથીરિયાની જામીન અરજી પર કોર્ટે શું લીધો નિર્ણય, જાણો વિગત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.