✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતમાં બસ સળગાવાઈ ત્યાં CCTV નથી છતાં 'પાસ'ના પાંચ કાર્યકરોને ક્યા CCTV ફૂટેજના આધારે જેલમાં ધકેલાયા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Aug 2018 10:34 AM (IST)
1

વાસ્તવમાં જે સ્થળ પર બસ સળગાવવામાં આવી હતી ત્યાં સીસીટીવી કેમેરા નહોતા એટલું જ નહી તેની આસપાસ પણ સીસીટીવી કેમેરા નહોતા ત્યારે પોલીસે કઈ જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા એ એક સવાલ છે.સરથાણા પોલીસ મથકના અલગ અલગ વિસ્તારમાં થયેલા તોફાનો સંદર્ભે અત્યાર સુધીમાં સરથાણામાં ત્રણ અને વરાછામાં એક એમ કુલ ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે.

2

સુરતઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની અટકાયત બાદ સુરતમાં ફાટી નીકળેલી હિંસામાં સરથાણા પોલીસે પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી છે. હાર્દિકની અટકાયત બાદ રવિવારે રાત્રે સરથાણા પોલીસ મથકની હદમાં ટાયર સળગાવ્યા ઉપરાંત બીઆરટીએસની બસમાં પણ આગ ચાંપી દેવાઇ હતી. પોલીસે ટાયર સળગાવવાના ગુનામાં પાસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી.

3

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મિલન કથીરિયા સિવાયના આરોપીઓ બીઆરટીએસ બસ સળગાવવામાં પણ સંડોવાયેલા હોવાથી તેમની વિરુદ્ધ બસ સળગાવવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે. સરથાણાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી. ચૌધરીએ કહ્યું હતું કે મોબાઇલ ફોનની તપાસ, સીસીટીવી કેમેરાની તપાસ અને સાક્ષીઓનાં નિવેદનોના આધારે આ પાંચની સંડોવણી બસ સળગાવવામાં સ્પષ્ટ થઈ છે. જેથી તેમની ધરપકડ કરાઇ છે.

  • હોમ
  • Photos
  • સુરત
  • સુરતમાં બસ સળગાવાઈ ત્યાં CCTV નથી છતાં 'પાસ'ના પાંચ કાર્યકરોને ક્યા CCTV ફૂટેજના આધારે જેલમાં ધકેલાયા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.