પાટીદાર નેતા હાર્દિક પટેલે લખી 'નમ્ર પ્રણામ' કવિતા, સોશિયલ મીડિયા ફેસબુક પર કરી પોસ્ટ
આ મેસેજમાં સૌથી મહત્ત્વૂપર્ણ વાત એ છે કે, લિખીતાંગમાં લખવામાં આવ્યું છે કે, 'મોટાથી થાકી ગયેલના નાના નાના કાર્યકર્તાઓ'. ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરતમાં પટેલ ઉદ્યોગપતિઓ દ્વારા ભાજપ અને ગુજરાત સરકારના આગેવાનો માટે અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ પટેલ ઉદ્યોગપતિઓ વિરૂદ્ધ પાટીદારના કેટલાક લોકો રોષે ભરાયા છે.
શક્તિશાળી બીજેપી સરકાર સામે કૂદી પડ્યા સમાજ માટે, સમાજહિતને કાજે લડતા મંગલમય બલિદાન કર્યું, પાટીદાર સમાજ અને પાટીદાર વીરોએ કર્યું પ્રયાણ ........ શહીદી વ્હોરીને હસ્તે-હસ્તે મુખે કર્યું પ્રયાણ ........ સમાજ માટે શહીદી વ્હોરી જીવન ધન્ય કર્યું જેણે, હસ્તે મોં એ વિદાય લઇ કર્યું માં ઉમા-ખોડલ તને અંતિમ પ્રણામ ........ કાર્ય સમાજનું અધૂરું રહ્યું ચિંતા એની કરશો નહિ, સમય સમર્પણની રૂઢ પ્રતિજ્ઞા એ છે જીવન ધ્યેય હવે. તન મન ધન ન્યોછાર છે, પાટીદારો માટે. જન્મો-જન્મ સમર્પિત છે, પાટીદાર સમાજ માટે ..... શહીદ વીરો ને નમ્ર પ્રણામ.......
નિજ સ્વાર્થને મારી ઠોકર, પાટીદાર સમાજ માટે પ્રાણ આપ્યા, પરોપકારી પાટીદાર વીરને આજે અમારા નમ્ર પ્રણામ ......... બીજેપી સરકારના ષડયંત્ર સામે ખુલ્લા લડ્યા, સમાજ ભક્ત પાટીદાર વીરને આજે અમારા નમ્ર પ્રણામ ......... પ્રાણ જાય પણ અનામત મળે એવું સમાજ વ્રત, ધ્યેય નિષ્ઠ પાટીદાર વીરને આજે અમારા નમ્ર પ્રણામ ........ અનામતની લડાઈમાં પ્રથમ આત્મબલિદાન કર્યું, ક્રાંતિવીર પાટીદારને આજે અમારા નમ્ર પ્રણામ ........
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને કોર્ટે ગુજરાતની બહાર રહેવાની શરતે જામીન આપ્યા છે. ત્યારે હાર્દિક પટેલ સોશિયલ મીડિયા દ્વારા પોતાના સમર્થકોના સંપર્કમાં રહે છે. હાર્દિક પોતાના સમર્થકોને વિવિધ સંદેશા સોશિયલ મીડિયાથી આપતો હોય છે. ત્યારે બુધવારે હાર્દિક પટેલે કોઇ સંદેશો નહી પણ એક કવિતા લખી હતી.