જૂહી ચાવલા પરિવાર સાથે સોમનાથ પહોંચી, કર્યો જળાભિષેક, જુઓ PHOTOS

જય મહેતા-મહેતાગૃપ એ કહ્યું કે, ઘણા સમય બાદ સોમનાથના દર્શને આવવાનું થયુ અતિ સુંદર રીતે મંદિર જોઇ જે સુંદર વિકાસ થઇ રહેલો છે તેનાથી આનંદ થાય છે મારા પુત્ર અર્જુન પ્રથમ વખત દર્શનાર્થે આવેલ અમારા સૌ પર સોમનાથ દાદાની કૃપા બની રહે એવી પ્રાર્થના.
ગીર સોમનાથઃ સોમવારે સોમનાથ ખાતે સંધ્યા આરતીમાં ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા મહેતા તેમજ ગૃપના જયભાઇ મહેતા તથા તેમના પુત્ર અર્જુન સાથે સામેલ થયા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા સ્થાનિકોએ ઉષ્માભેર તેમનુ સ્વાગત કરેલું. ભગવાન સોમનાથના દર્શન-આરતી અને અભિષેક કરી ધન્ય બનેલા હતા.
જુહી ચાવલા મહેતાએ કહ્યું હતું કે, સોમનાથની મુલાકાતથી હું બહુ ધન્ય બન્યતા પ્રાપ્ત કરી, અમે સોમનાથના દર્શન કરી આશિર્વાદ પ્રાપ્ત કર્યા, આ પવિત્ર જગ્યાએ વારંવાર આવું એવી ઇચ્છા છે.
મંદિરની વિસ્તૃત જાણકારી મેળવવા તેઓએ ઇચ્છા વ્યક્ત કરતા સોમનાથ દ્વાદશ જ્યોતિર્લિંગ ગેલેરી, દક્ષિણ ધ્રુવ, રાવણનું દશાનન સ્ટ્રક્ચર વિગેરેની માહિતી તેમજ ઇતિહાસ જાણી ધન્ય બનેલા હતા. જુના સોમનાથ મંદિરે પણ અભિષેક શિવપૂજા કરી હતી.