✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સ્મશાનમાં નિવના મૃતદેહને કોણે આપ્યો અગ્નિદાહ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 11:30 AM (IST)
1

નિવની અંતિમ યાત્રામાં મહિલાઓએ હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું. મહિલાઓએ નિશિત પર પણ ફિટકાર વરસાવી હતી. આ ઉપરાંત નિવનું મોત થયું હોવાથી લોકો તેના બાપ નિશિત પર ફીટકાર વરસાવી રહ્યા છે.

2

નાનકડાં વણેસા ગામમાં નિવના મોતના પગલે મોટી સંખ્યામા લોકો એકત્ર થયા હતા અને નિવની અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા. આ અગાઉ પણ નિવનો મૃતદેહ ન મળ્યો ત્યાં સુધી વિવિધ રામધુન સહિતના કાર્યક્રમોમાં મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

3

11 વાગ્યાના સમય ગાળામાં અઢી વર્ષના માસુમ નિવની સ્મશાનયાત્રા નીકળતાં ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતાં. બારડોલી સ્મશાન ખાતે નિવના મૃતદેહને તેના મોટા ભાઈ નીલે અગ્નિદાહ આપ્યો હતો.

4

સુરત: બારડોલીના વણેસા ગામે સગા બાપે જ પોતાના જ દિકરા નિવને મીંઢોળા નદીમાં ફેંકી દીધાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં ફાયરબ્રિગેડને માસૂમ નિવના મૃતદેહને શોધતા 10 દિવસ થયા હતા.

5

બુધવારે મૃતહેદ મળ્યા બાદ સુરત સિવિલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમ યાત્રામાં માસૂમ નિવના મોતથી આખું ગામ હિબકે ચઢ્યું હતું.

  • હોમ
  • Photos
  • સુરત
  • સ્મશાનમાં નિવના મૃતદેહને કોણે આપ્યો અગ્નિદાહ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.