PM નરેન્દ્ર મોદી 23મી તારીખે જ આવશે ગુજરાત પ્રવાસે, જાણો આખા દિવસનો શું છે કાર્યક્રમ
6.40થી 7.40 વાગ્યા સુધી મીટિંગમાં રહેશે. 7.45થી 8.15 વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે. 8.20 વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે. 8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 8.50 વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.
5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટી પહોંચેશે. 5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે. 6.35 વાગે FSLથી નિકળી 6.40 વાગે રાજભવન પહોંચશે.
12.30 વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે. 2.05 વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે. 2.10 વાગે હેલિપેડથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે. 2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે. 2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 3.20 વાગ્યાથી બાય રોડ જુનાગઢ હેલિપેડ જશે. 3.30 વાગે હેલિપેડથી નિકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે. 5.10 વાગે હેલિપેડથી સચિવાલય બાય રોડ પહોંચશે.
નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટથી નિકળશે. 10.15 વાગે સુરત એરપોર્ટ પહોંચશે. 10.20થી હેલિકોપ્ટ દ્વારા વલસાડ જવા રવાના થશે. 10.50 વાગે વલસાડ હેલિપેડ પર ઉતરાણ કરશે. 10.55 વાગે બાય રોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે. 11.00 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે. 11.00થી 12.15 વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 12.20થી કાર્યક્રમ સ્થળથી બાય રોડ રવાના થશે. 12.25 વલસાડ હેલિપેડે પહોંચશે.
પ્રધાનમંત્રી 23 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાના હતા જોકે અટલ બિહારી વાજપેયીનું નિધન થતાં 7 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો હતો જેના કારણે નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જોકે નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને ગાંધીનગર ખાતે શનિવારે મીટિંગ કરવામાં આવી હતી ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી 23 તારીખે જ ગુજરાત પ્રવાસે આવવાના છે.
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 23 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે, વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં પીએમ મોદી એક દિવસના પ્રવાસમાં ઘણા કાર્યક્રમમાં ભાગ લેશે. જેમાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે.